એક ડિસેમ્બરે આદિત્ય નારાયણ અને શ્વેતા અગરવાલ મંદિરમાં કરશે લગ્ન
આદિત્ય નારાયણ અને શ્વેતા અગરવાલ
આદિત્ય નારાયણ તેની ગર્લફ્રેન્ડ શ્વેતા અગરવાલ સાથે ફૅમિલીની હાજરીમાં એક ડિસેમ્બરે મંદિરમાં લગ્ન કરશે. કોરોનાને કારણે નજીકના લોકોને જ આમંત્રણ આપવામાં આવશે. જોકે લગ્ન ભલે સાદાઈથી કરવામાં આવે પરંતુ કોરોનામાંથી સ્થિતિ સુધરતાં ભવ્ય રિસેપ્શન આપવામાં આવશે. આદિત્ય અને શ્વેતાની મુલાકાત ‘શાપિત’ના સેટ પર થઈ હતી. આદિત્ય નારાયણે કહ્યું હતું કે ‘અમે ૧ ડિસેમ્બરે લગ્ન કરવાનાં છીએ. કોરોનાને કારણે માત્ર નજીકનાં ફૅમિલી અને ફ્રેન્ડ્સને જ આમંત્રણ આપવામાં આવશે. મહારાષ્ટ્રમાં લગ્ન સમારંભમાં માત્ર ૫૦ લોકોને હાજરી આપવાની પરવાનગી છે. અમે મંદિરમાં લગ્ન કરવાનાં છીએ.’