આદિત્ય નારાયણ પહેલી ડિસેમ્બરે શ્વેતા અગ્રવાલ સાથે મંદિરમાં લગ્ન કરશે
ફાઈલ ફોટો
ગાયક ઉદિત નારાયણનો દીકરો આદિત્ય નારાયણ પહેલી ડિસેમ્બરના રોજ ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે લગ્ન કરશે.
આદિત્યે એક ઈન્ટરવ્યૂમાં પોતાના લગ્ન અંગે વાત કરી હતી. આદિત્યના મતે લગ્નમાં માત્ર નિકટના પરિવારના સભ્યો તથા ફ્રેન્ડ્સ હાજર રહેશે. લગ્ન મંદિરમાં કરવામાં આવશે અને ત્યારબાદ નાનકડું રિસેપ્શન આપવામાં આવશે.
ADVERTISEMENT
View this post on Instagram
વેબ પોર્ટલ સ્પોટબોયના અહેવાલ પ્રમાણે, આદિત્યે જણાવ્યું છે કે, 'અમે પહેલી ડિસેમ્બરે લગ્ન કરવાના છીએ. કોવિડ 19ને કારણે અમે માત્ર નિકટના પરિવારના સભ્યો તથા ફ્રેન્ડ્સને બોલાવીશું. મહારાષ્ટ્રમાં લગ્નમાં 50થી વધુ લોકોને બોલાવવાની પરમિશન નથી. આથી જ મંદિરમાં લગ્ન કરવામાં આવશે અને પછી નાનકડું રિસેપ્શન. કોવિડને કારણે વધુ લોકોને આમંત્રણ આપી શકાય તેમ નથી. ટીવી તથા મ્યૂઝિક વર્લ્ડના નિકટના મિત્રો જ લગ્નમાં આવશે.'
આ પણ વાચોઃ આ મહિનાની શરૂઆતમાં જ સોશ્યલ મીડિયામાં આ પોસ્ટ મૂકી હતી
આદિત્ય નારાયણ તથા શ્વેતા અગ્રવાલની રોકા સેરેમની આ મહિનાની શરૂઆતમાં થઈ હતી. સેરેમનીની એક તસવીર સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હતી.
આ મહિનાની શરૂઆતમાં જ આદિત્ય નારાયણે સોશિયલ મીડિયામાં પોતાના લગ્નની વાત કરી હતી. તેણે પોસ્ટમાં કહ્યું હતું, 'અમે લગ્ન કરવાના છીએ. હું નસીબદાર છું કે મને શ્વેતા મળી. મારી સોલમેટ, 11 વર્ષ પહેલાં અને હવે અમે ફાઈનલી ડિસેમ્બરમાં લગ્ન કરવા જઈ રહ્યાં છીએ. અમે માનીએ છીએ કે કોઈની પ્રાઈવેટ લાઈફને પ્રાઈવેટ રાખવી સૌથી સારી બાબત છે. લગ્નની તૈયારીઓ માટે સોશિયલ મીડિયામાંથી બ્રેક લઉં છું. તમને ડિસેમ્બરમાં મળીશ.'