અસુર ફેમ આદિત્ય લાલ હવે કરવાનો છે અપહરણ
આદિત્ય લાલ
આ વર્ષે વિડિયો સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ ‘વૂટ’ પર ‘અસુર’ નામની ક્રાઇમ થ્રિલર સિરીઝ રિલીઝ થઈ જેનાં વિષય, વાર્તા અને પાત્રો દર્શકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહ્યાં છે. શોમાં અર્શદ વારસી, બરુણ સોબતી જેવા લીડ ઍક્ટર્સ ઉપરાંત આદિત્ય લાલનું કામ પણ વખણાયું છે. આદિત્ય લાલે અલ્ટ બાલાજીની સિરીઝ ‘ફિતરત’થી ડેબ્યુ કર્યું અને ત્યાર બાદ ‘અસુર’ સિરીઝને કારણે તેને લોકપ્રિયતા મળી છે. આદિત્યના હાથમાં અલ્ટ બાલાજીની ‘પૌરશપુર’ અને ‘અપહરણ-2’ એમ બે અપકમિંગ વેબ-સિરીઝ પણ છે. કિડનૅપિંગ, સસ્પેન્સ, ઍક્શન ધરાવતી ‘અપહરણ’માં અરુણોદય સિંહ, માહી ગિલ, નિધિ સિંહ, વરુણ બડોલા જેવા કલાકારો તો છે એ ઉપરાંત આદિત્ય લાલ પણ બીજી સીઝનમાં મહત્ત્વના રોલમાં જોવા મળશે. આદિત્યનું કહેવું છે કે ‘અપહરણ-2’માં તેનો દેખાવ, બોલવાની ઢબ બદલાયેલાં હોવાથી આ રોલ ‘ફિતરત’ અને ‘અસુર’થી એકદમ અલગ છે.
‘અપહરણ-2’નું શૂટિંગ ઉત્તરાખંડમાં શરૂ થયું છે અને બીજી સીઝનમાં લીડ ઍક્ટર અરુણોદય સિંહનો ડબલ રોલ જોવા મળશે એવી ચર્ચા છે.