Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આદિત્ય ચોપડાએ અભિષેકની ઘરે જઈને માફી માગી

આદિત્ય ચોપડાએ અભિષેકની ઘરે જઈને માફી માગી

11 December, 2013 03:21 AM IST |

આદિત્ય ચોપડાએ અભિષેકની ઘરે જઈને માફી માગી

આદિત્ય ચોપડાએ અભિષેકની ઘરે જઈને માફી માગી





આગામી ફિલ્મ ‘ધૂમ:૩’ની તમામ ઇવેન્ટમાં આમિર ખાન જ છવાયેલો હતો. પોતે જે ફિલ્મ સાથે સંકળાયો હોય એમાં સંપૂર્ણ ધ્યાન આપવા માટે આમિર જાણીતો છે. જોકે ઇન્ડસ્ટ્રીઝનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વાત કો-સ્ટાર અભિષેક બચ્ચનને બહુ પસંદ નથી આવી. આમિર ખાનને આગળ કરવાના પ્રયાસમાં ફિલ્મ બનાવનારાઓ એટલા બધા બેદરકાર થઈ ગયા કે તેઓ કેટલીક ઇવેન્ટ માટે અભિષેકને બોલાવવાનું પણ ભૂલી ગયા.

જોકે સમગ્ર મામલે અપમાનને ભૂલી જઈ શાંત રહેવાનું અભિષેકે પસંદ કર્યું. મોડે-મોડેથી પ્રોડક્શન-હાઉસને પોતાની ભૂલ સમજાઈ છે. એથી એણે અભિષેક સાથેના સંબંધો સુધારવાનું કામ શરૂ કર્યું છે, કારણ કે ‘ધૂમ’ સિરીઝની અગાઉની બન્ને ફિલ્મોમાં તે હતો એટલું જ નહીં, યશરાજ ફિલ્મ્સ સાથે તેના બહુ જૂના સંબંધો છે.

‘ધૂમ : ૩’ના પ્રમોશનમાં જે રીતે આમિરને રજૂ કરવામાં આવે છે એ વાતનું દુખ અભિષેકને લાગ્યું હતું, પરંતુ તેણે સમગ્ર મામલે શાંત રહેવાનું નક્કી કર્યું છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફિલ્મના ફસ્ર્ટલુક લૉન્ચ વખતે પણ તમામ જગ્યાએ કેન્દ્રમાં આમિર જ હતો. અભિષેક હોવા છતાં આમિર જ તમામ વાતો કરતો હતો. એ વખતે અભિષેકના હાથમાં ઈજા થઈ હોવાથી તે શાંત રહ્યો હતો. આવા જ બીજા એક બનાવમાં ફિલ્મના સૉન્ગના લૉન્ચ વખતે આમિર ખાન તથા કૅટરિના કૈફની હાજરી હતી. અભિષેક એ વખતે મુંબઈમાં હતો છતાં તેને સમગ્ર ઇવેન્ટ વિશે કોઈ જાણકારી નહોતી. જોકે હવે ખૂબ મોડું થઈ જાય એ પહેલાં જ અભિષેક સાથે સંબંધ સુધારી લેવાનો પ્રયાસ ફિલ્મ-મેકરો દ્વારા કરવામાં આવ્યો છે. આને કહેવાય જાગ્યા ત્યારથી સવાર.

- શાહીન પરકાર

ચેન્નઈ ફિલ્મ-ફેસ્ટિવલમાં આમિર ખાન પોતાના ખર્ચે ભાગ લેવાનો છે


તામિલનાડુના પાટનગર ચેન્નઈમાં ગુરુવારથી શરૂ થનારા અગિયારમા ચેન્નઈ ઇન્ટરનૅશનલ ફિલ્મ-ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમારંભમાં આમિર ખાન ભાગ લેવાનો છે અને આ માટેનો તમામ ખર્ચ તે ઉપાડશે.

ગયા વર્ષે મેગાસ્ટાર અમિતાભ બચ્ચને આ સમારોહમાં ભાગ લીધો હતો અને ખર્ચ પણ જાતે જ ઉપાડ્યો હતો એથી આમિર ખાન પણ તેમની જેમ કરી રહ્યો છે.

તામિલનાડુ સરકાર અને ઇન્ડો સિને ઍપ્રીશિયેશન ફાઉન્ડેશને આ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે.

ફેસ્ટિવલની આયોજક ઍક્ટ્રેસ સુહાસિની મણિરત્નમે કહ્યું હતું કે ‘આમિર ખાને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ખાતરી આપી છે અને તેણે માત્ર એટલું જ કહ્યું હતું કે મારે ક્યારે આવવાનું છે. હું અને મારા અસિસ્ટન્ટો અમારી રીતે હોટેલમાં પહોંચી જઈશું. હું આમિર ખાનને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ત્રણ વર્ષથી આમંત્રણ આપતી હતી, પણ આ વખતે તેણે હા પાડી છે. એનો ખર્ચ પણ તેણે જાતે જ ઉપાડી લીધો છે એ જાણીને અમને ગર્વ થાય છે. ગયા વર્ષે અમિતાભજી આવ્યા હતા અને તેમણે અમને સપોર્ટ કર્યો એટલું જ નહીં, ૧૧ લાખ રૂપિયાનું દાન પણ આપ્યું હતું.’


Whatsapp-channel Whatsapp-channel

11 December, 2013 03:21 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK