Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > મેરે ડૅડ કી દુલ્હન : ગુનીતની જિંદગીમાં આવનાર આ નવી વ્યક્તિ કોણ છે?

મેરે ડૅડ કી દુલ્હન : ગુનીતની જિંદગીમાં આવનાર આ નવી વ્યક્તિ કોણ છે?

23 January, 2020 03:03 PM IST | Ahmedabad

મેરે ડૅડ કી દુલ્હન : ગુનીતની જિંદગીમાં આવનાર આ નવી વ્યક્તિ કોણ છે?

સની હિન્દુજા

સની હિન્દુજા


સોની ટીવી પર આવતો શો ‘મેરે ડેડ કી દુલ્હન’ લોકપ્રિય બન્યો છે જેમાં વરુણ બદોલા (અંબર) અને શ્વેતા તિવારી (ગુનીત) લીડ રોલમાં છે. તેમની કૅમેસ્ટ્રી અને નોંક-ઝોંક તેમ જ વરુણ અને અંજલિ તત્રારી (નિયા) વચ્ચેનાં પિતા-પુત્રીના બૉન્ડને લીધે આ શોએ દર્શકો પર છાપ છોડી છે.

હવે આ શોમાં મનોરંજનનો મસાલો ઉમેરાશે, કારણ કે એક નવો ચહેરો ગુનીત (શ્વેતા તિવારી)ની લાઇફમાં એન્ટ્રી મારશે. અભિનેતા સની હિન્દુજા ‘મેરે ડેડ કી દુલ્હન’માં ૪૩ વર્ષના ઑર્થોપેડિક સર્જ્યન ડૉ. અનુરાગ મલ્હોત્રાનો રોલ ભજવશે જે પણ એક સિંગલ પેરન્ટ હોય છે. જોકે સનીનો અહીં કૅમિયો હશે. ડૉ. અનુરાગને પોતાના માટે એક સાથી અને પોતાની દીકરી માટે એક માતા બને તેવી યુવતીની શોધમાં છે અને તે ગુનીત (શ્વેતા તિવારી)ને મળે છે. છેલ્લે ‘મર્દાની 2’માં જોવા મળેલ સની હિન્દુજાએ ઍમેઝૉન પ્રાઇમ વિડિયોની ‘ધ ફૅમિલી મૅન’માં પણ કામ કર્યું છે. તે ‘મર્દાની 2’માં વિપ્લવ બેનીવાલ નામના રાજનેતાના રોલમાં હતો, જ્યારે ‘ધ ફૅમિલી મૅન’માં તેના પાત્રનું નામ મિલિન્દ છે.


Whatsapp-channel Whatsapp-channel

23 January, 2020 03:03 PM IST | Ahmedabad

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK