મોહસિન ખાન લૉકડાઉનમાં પણ શૂટિંગ કરી રહ્યો છે!
મોહસિન ખાન
કોવિડ-19ની મહામારીને લીધે એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીને મોટો ફટકો પડ્યો છે. ટીવીશોનાં શૂટિંગ અટકી ગયાં હોવાથી ટીવી પર જૂના એપિસોડ ટેલિકાસ્ટ થઈ રહ્યા છે. જોકે આ બાબતે ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ની ટીમ બે ડગલાં આગળ છે! જ્યારે અન્ય સિરિયલો પાસે એપિસોડની બૅન્ક પૂરી થઈ ગઈ છે ત્યારે ૩૦ માર્ચથી ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ના નવા એપિસોડ પ્રસારિત થઈ રહ્યા છે.
મૂળ તો કોરોનાની મહામારી પહેલાં જ આ શોના ઘણા એપિસોડ્સ શૂટ થઈ ચૂક્યા હતા એથી મેકર્સ હાલ પૂરતા આ બાબતે નિશ્ચિંત છે. તો આ શોમાં કાર્તિકનું પાત્ર ભજવતો અભિનેતા મોહસિન ખાન મેકર્સ માટે પ્લસ પૉઇન્ટ બન્યો છે, જ્યારે અન્ય કલાકારો ક્વૉરન્ટીનમાં પોતાની મનપસંદ ઍક્ટિવિટી કરી રહ્યા છે ત્યારે મોહસિન ખાન ઘરેથી શૂટિંગ કરી રહ્યો છે! તે ઘરમાં રહીને પોતાના ભાઈની મદદથી પોતાના ભાગનો સીન શૂટ કરે છે અને મેકર્સને મોકલી આપે છે. મોહસિન ખાન તેના અતિશય પ્રોફેશનલ વલણ માટે જાણીતો છે એથી આ કટોકટીમાં શો માટે પોતાનાથી બનતી મદદ કરી રહ્યો છે.