Sejal Sharma death news:સેજલના મૃત્યુ પછી કૉ-સ્ટાર અંશ બાગરીએ કરી આ વાત
સ્ટાર પ્લસ પર આવનારી જાણીતી સીરિયલ 'દિલ તો હેપ્પી હૈ જી'ની અભિનેત્રી રહી ચૂકેલી સેજલ શર્માએ શુક્રવારની સવારે આત્મહત્યા કરી લીધી છે. ચર્ચાઓ પ્રમાણે સેજલે પોતાના ખાનગી કારણોને કારણે આવું પગલું લીધું. જો કે, હજી સેજલના મૃત્યુનું સાચ્ચું કારણ સામે આવ્યું નથી. સેજલ શર્માને એક્ટિંગ અને ડાન્સ ગમતું હતું અને તે ફિલ્મોમાં કામ કરવા માગતી હતી. તો હવે સેજલના મૃત્યુ પછી સીરિયલમાં તેના ભાઇનું પાત્ર ભજવનારા અંશ બાગરીનું નિવેદન સામે આવ્યું છે.
ADVERTISEMENT
ચર્ચા છે કે સેજલ નેઘરમાં ફાંસી લગાડીને સીરિયલમાં સેજલ શર્માના ભાઇનું પાત્ર ભજવનારા અંશ બાગરીએ સેજલને લઈને વાત કરી. એબીપી ન્યૂઝ સાથે વાતચીતમાં અંશ બાગરીએ કહ્યું, "અમે સીરિયલમાં 9 મહિના સુધી સાથે કામ કર્યું હતું. જ્યારે સવારે સવારે તેના એક મિત્રનો ફોન આવ્યો, ત્યારે મને તેના મૃત્યુ પર વિશ્વાસ જ ન થયું. મને લાગ્યું કે પોતે સેજલે ફોન કરાવીને મારી સાથે કોઇક પ્રેન્ક કર્યો છે જેથી આ સમાચાર સાંભળ્યા પછી તે મારું રિએક્શન જાણી શકે."
આ પણ વાંચો : અનુરાગ કશ્યપની દીકરી આલિયાની આવી છે લાઈફસ્ટાઈલ, જુઓ ગ્લેમરસ તસવીરો
તો અંશે સેજલને લઈને આગળ કહ્યું કે તે એક ખૂબ જ જિંદાદિલ અને ખુશમિજાજ છોકરી હતી અને મુશ્કેલીઓનો સામનો કરતાં સારી રીતે જાણતી હતી. અંશે કહ્યું કે, "તેણે ક્યારેય મારી સાથે ખુલીને તો કોઇ મુશ્કેલી વિશે જણાવ્યું તો નથી, પણ કામને લઈને તેની મુશ્કેલીનો અંદાજો તો મને હતો. ઇન્ડસ્ટ્રીમાં આ ખૂબ જ સામાન્ય વાત છે. સેજલ ઘણીવાર કહેતી હતી હતી કે તેને પોતાના માતા અને પિતા અને પોતાના ભાઇ માટે કંઇક કરવું છે. હું હંમેશા તેને બધું બરાબર થઈ જશે એવી સાંત્વના આપ્યા કરતો હતો. મને હજી પણ વિશ્વાસ નથી થઈ રહ્યું કે તે આપણી વચ્ચે નથી અને આ રીતે છોડીને ગઈ છે."