Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘તલાશ’ની રિલીઝ વખતે પણ નવાઝુદ્દીન મુંબઈમાં નથી રહેવાનો

‘તલાશ’ની રિલીઝ વખતે પણ નવાઝુદ્દીન મુંબઈમાં નથી રહેવાનો

28 November, 2012 05:27 AM IST |

‘તલાશ’ની રિલીઝ વખતે પણ નવાઝુદ્દીન મુંબઈમાં નથી રહેવાનો

‘તલાશ’ની રિલીઝ વખતે પણ નવાઝુદ્દીન મુંબઈમાં નથી રહેવાનો




‘કહાની’ અને ‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર’ જેવી ફિલ્મોથી લાઇમલાઇટમાં આવેલા નવાઝુદ્દીન સિદ્દીકીની ડિમાન્ડ અચાનક જ વધી ગઈ છે. રીમા કાગતીની ‘તલાશ’માં પણ તેનો મહત્વનો રોલ છે એટલે ડિરેક્ટર રીમા બધે કહેતી ફરે છે કે તેની આ થિþલર ફિલ્મમાં આમિર, કરીના, રાની અને નવાઝુદ્દીન છે; પણ ફિલ્મ રિલીઝ થવાની છે ત્યારે નવાઝુદ્દીન ક્યાંક ગાયબ થઈ ગયો હોય એવું લાગે છે.

છેલ્લા થોડાક વખતથી નવાઝ બિહારના બોધગયામાં કેતન મહેતાની ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો અને હાલમાં તે દિલ્હીમાં છે અને ફિલ્મની રિલીઝ દરમ્યાન પણ મુંબઈ આવી શકશે નહીં. નવાઝ કહે છે, ‘દિલ્હીથી હું મારા હોમટાઉન જવાનો છું. હું અત્યાર સુધી કેતન મહેતાની ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો અને હવે એ લગભગ પૂરી થઈ ગઈ છે. હવે મારે ઘરનાંઓ સાથે થોડોક સમય ગાળવો છે. શૂટિંગ અને ટ્રાવેલિંગમાં હું છેલ્લા કેટલાક સમયથી વ્યસ્ત હતો. હવે જ્યારે થોડોક સમય મળ્યો છે તો હું ઘરે જવા ઇચ્છીશ.’

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં આવેલું બુધાના એ તેનું હોમટાઉન છે. તેણે તો પ્રોડ્યુસરોને કહી દીધું છે કે ફિલ્મની રિલીઝ વખતે તે અવેલેબલ નથી.


Whatsapp-channel Whatsapp-channel

28 November, 2012 05:27 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK