Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આમિર ખાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ, જાણો શા માટે...

આમિર ખાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ, જાણો શા માટે...

01 November, 2020 03:13 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આમિર ખાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ, જાણો શા માટે...

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


અભિનેતા આમિર ખાન (Amir Khan) વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ હોવાનું સામે આવ્યું છે. અભિનેતા તેની ફિલ્મ લાલસિંહ ચડ્ઢા (LalSingh Chaddha)નું શૂટિંગ કરી રહ્યો છે. શૂટિંગના ભાગરૂપ તે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ફિલ્મના કેટલાક સીન શૂટ કરી રહ્યો હતો.

જોકે શૂટિંગ કરવાને લઈને વિવાદ ઉભો થઈ ગયો છે. લોનીના ભાજપના વિધાનસભ્ય નંદ કિશોર ગુર્જરે આમિર ખાન ઉપર કોવિડ-19 પ્રોટોકોલનું પાલન ન કરવાનો આરોપ લગાવ્યો છે, એટલું જ નહીં પણ ભાજપ ગુર્જરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે.



ગાઝિયાબાદમાં આમિર ખાનના ફૅન્સ તેને મળવા માટે તેમના શૂટિંગ લોકેશન ઉપર પહોંચી ગયા હતા. આમિર ખાને પણ તે લોકો સાથે મુલાકાત કરી હતી. પરંતુ તે સમયે અભિનેતાએ કોરાના ગાઈડલાઈન્સનું પાલન કર્યું નહોતું. ચાહકોને મળતા સમયે આમિર ખાને ન તો માસ્ક પહેર્યું છે કે ન તેમના ચાહકોએ. પરિણામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

01 November, 2020 03:13 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK