Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ખુલ્યા '47 ધનસુખ ભવન'ના દરવાજા, એક જબરજસ્ત થ્રિલર માટે થઈ જાવ તૈયાર

ખુલ્યા '47 ધનસુખ ભવન'ના દરવાજા, એક જબરજસ્ત થ્રિલર માટે થઈ જાવ તૈયાર

23 June, 2019 12:27 PM IST | મુંબઈ

ખુલ્યા '47 ધનસુખ ભવન'ના દરવાજા, એક જબરજસ્ત થ્રિલર માટે થઈ જાવ તૈયાર

ફિલ્મનું એક દ્રશ્ય

ફિલ્મનું એક દ્રશ્ય


અપકમિંગ ગુજરાતી થ્રિલર ફિલ્મ '47 ધનસુખ ભવન'નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યુ છે. ગૌરવ પાસવાલા, રિશી વ્યાસ અને શ્યામ નાયર સ્ટારર ફિલ્મનું ટ્રેલર યુટ્યુબ પર રિલીઝ થઈ ચુક્યુ છે. ફિલ્મનું ટીઝર આવ્યા બાદ સોશિયલ મીડિયા પર તેની ખૂબ જ ચર્ચા થઈ હતી. ટીઝર જોયા બાદ લોકોને ફિલ્મ વિશે વધુ જાણવાની ઈચ્છા થઈ, અને ઓડિયન્સ ડિમાન્ડને કારણે જ ફિલ્મનું ટ્રેલર એક દિવસ પહેલા રિલીઝ કરવામાં આવ્યું છે.

ફિલ્મના ટ્રેલરમાં વાર્તા એક બિલ્ડિંગની આસપાસ ફરે છે. '47 ધનસુખ ભવન' નામની ઈમારતમાં ત્રણેય યુવાનો રહેવા જાય છે. અને પછી જ શરૂ થાય છે ઈન્ટ્રેસ્ટિંગ સ્ટોરી. વેલ, ટ્રેલરમાં શું છે, એ જોવા માટે તો તમે જ નીચે ક્લિક કરીને ટ્રેલર પર નજર કરી લો.



અહીં જુઓ ટ્રેલર


આખું ટ્રેલર જોતા તો ફરીવાર ફિલ્મ માટેની ઈંતેજારી વધી રહી છે. ફિલ્મનુ સસ્પેન્સ જાણવા માટે દર્શકો હવે ઉતાવળા થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે નૈતિક રાવલે ડિરેક્ટ કરેલી આ ફિલ્મ 26 જુલાઈએ થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં ગૌરવ પાસવાલા, રિશી વ્યાસ અને શ્યામ નાયર લીડ રોલમાં છે. ફિલ્મને ગેલોપ્સ ટોકીઝ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.


પહેલી ગુજરાતી વન શોટ ફિલ્મ

47, ધનસુખ ભવન એ પહેલી ગુજરાતી ફિલ્મ હોવાની સાથે સાથે અન્ય એક રીતે પણ ખાસ છે. આ પહેલી ગુજરાતી વન શોટ ફિલ્મ છે. એટલે કે એક જ સિંગલ કેમેરાથી સિંગલ ટેકમાં શૂટ થઈ હોય તેવી આ પહેલી ગુજરાતી ફિલ્મ છે. ફિલ્મની ખાસ વાત એ છે કે તેમાં શરૂથી અંત સુધી ક્યારેય કટ નહીં દેખાય.આ પ્રકારના એક્સપેરિમેન્ટ હોલીવુડમાં થઈ ચૂક્યા છે. પરંતુ ગુજરાતમાં ડિરેક્ટર નૈતિક રાવલ પહેલીવાર આ કન્સેપ્ટ સાથે આવી રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર 24 જૂને રિલીઝ થવાનું હતું, પરંતુ ઓડિયન્સ ડિમાન્ડને કારણે વહેલું રિલીઝ કરાયું છે.

આ પણ વાંચોઃ જુઓ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ગોરીઓના વેસ્ટર્ન અંદાજ

26 જુલાઈએ થશે રિલીઝ

ગેલોપ્સ ટોકિઝે પ્રોડ્યુસ કરેલી આ ફિલ્મ 26 જુલાઈએ રિલીઝ થવાની છે. ફિલ્મના પોસ્ટરમાં જ આ તારીખ જાહેર કરી દેવાઈ છે. 47 ધનસુખ ભવનના રાઈટર ડિરેક્ટર નૈતિક રાવલ આ પહેલા પણ બે ગુજરાતી ફિલ્મો આપી ચૂક્યા છે. 2011માં આવેલી ચાર અને 2016માં તેમણે જે પણ કહીશ એ સાચું જ કહીશ ફિલ્મ ડિરેક્ટ કરી હતી. આ ઉપરાંત તેઓ કેટલીક હિન્દી સિરીયલોમાં પણ કામ કરી ચૂક્યા છે. તો એક્ટર ગૌરવ પાસવાલા છેલ્લે 'ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર' નામની કોર્ટરૂમ ડ્રામા ગુજરાતી ફિલ્મમાં દેખાયા હતા.

 

Whatsapp-channel Whatsapp-channel

23 June, 2019 12:27 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK