Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > મારું કૅરૅક્ટર એ તમામ જીવ ગુમાવનારાને સમર્પિત

મારું કૅરૅક્ટર એ તમામ જીવ ગુમાવનારાને સમર્પિત

08 June, 2021 12:33 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

‘ધી ફૅમિલી મૅન’ની સેકન્ડ સીઝનમાં રાજીનું કૅરૅક્ટર કરનારી સામન્થા અકિનેની કહે છે, ‘મેં કૅરૅક્ટર ફાઇનલ કર્યું ત્યારે જ ખબર હતી કે વિવાદ થશે’

સામન્થા અકિનેની

સામન્થા અકિનેની


ઍમેઝૉન પ્રાઇમના શો ‘ધી ફૅમિલી મૅન’માં રાજી નામની તામિલ મિલિટન્ટનું કૅરૅક્ટર કરનારી સાઉથ ઇન્ડિયન ઍક્ટ્રેસ સામન્થા અકિનેનીએ પોતાને મળેલી સક્સેસ અને આ કૅરૅક્ટર બન્ને એ લોકોને સમર્પિત કર્યું હતું જે લોકોએ એ સમયગાળામાં જીવ ગુમાવ્યા હતા. સામન્થાએ કહ્યું કે ‘મેં કૅરૅક્ટર ફાઇનલ કર્યું ત્યારે જ ખબર હતી કે વિવાદ થશે અને એ વિવાદ થયો પણ ખરો. આ એક સેન્સેટિવ કૅરૅક્ટર હતું. મારા ડિરેક્ટરે મને રોલ સંભળાવ્યો અને પછી રિસર્ચનાં બહુ બધાં પેપર્સ આપ્યાં હતાં, જેના આધારે મેં રાજીનું કૅરૅક્ટર ડેવલપ કર્યું. રાજીમાં એક આગ હતી જેને તેણે મજબૂરી વચ્ચે અંદર અટકાવી રાખી હતી. મેં વાંચ્યું છે કે એ પિરિયડમાં પણ અનેક રાજી હતી, જેણે પોતાનો જીવ ગુમાવ્યો છે. મારું કૅરૅક્ટર અને એને મળેલી સક્સેસ હું તેમને ડેડિકેટ કરું છું.’


Whatsapp-channel Whatsapp-channel

08 June, 2021 12:33 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK