Gujarati Mid-day

ઇ-પેપર

ગણેશ ચતુર્થી

ગણેશ ચતુર્થી


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > હવેથી ફિલ્મોમાં અપશબ્દોનો ઉપયોગ નહીં કરે પંકજ ​ત્રિપાઠી

હવેથી ફિલ્મોમાં અપશબ્દોનો ઉપયોગ નહીં કરે પંકજ ​ત્રિપાઠી

16 September, 2022 05:25 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વેબ-સિરીઝ ‘મિર્ઝાપુર’માં તેનું કાલીન ભૈયાનું પાત્ર તેના ફૅન્સને ખૂબ ગમ્યું હતું.

પંકજ ત્રિપાઠી

પંકજ ત્રિપાઠી


પંકજ ​ત્રિપાઠીએ નક્કી કર્યું છે કે તે હવેથી ફિલ્મોમાં અપશબ્દોનો ઉપયોગ નહીં કરે. શાનદાર ડાયલૉગ્સને કારણે તેની ખૂબ પ્રશંસા પણ કરવામાં આવે છે. વેબ-સિરીઝ ‘મિર્ઝાપુર’માં તેનું કાલીન ભૈયાનું પાત્ર તેના ફૅન્સને ખૂબ ગમ્યું હતું. અગાઉ તેણે જણાવ્યું હતું કે તે અપમાનજનક શબ્દો અને અભદ્ર ભાષાનો ઉપયોગ નહીં કરે. સાથે જ એમ પણ જણાવ્યું હતું કે જો એવા શબ્દોનો ઉપયોગ કરવાની જરૂર પડી તો એ વાતની તેઓ ખાતરી લેશે કે શું એ કૅરૅક્ટર અને સ્થિતિને બંધ બેસે છે. ફરી એક વખત પોતાનો નિર્ણય સંભળાવતાં પંકજ ​ત્રિપાઠીએ કહ્યું કે ‘મેં નક્કી કરી લીધું છે કે મારાં જે પણ પાત્રો હશે એમાં જો ખૂબ જરૂરી લાગ્યું તો જ હું એને ક્રીએટિવ રીતે દેખાડીશ.’


16 September, 2022 05:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK