હું આજે ઓટીટીને કારણે યુથ સુધી પણ પહોંચી શકું છું અને મારે જેવાં પાત્રો ભજવવાં હોય એ ભજવી શકું છું.’ : રાજેશ તેલંગ
રાજેશ તેલંગ
રાજેશ તેલંગનું કહેવું છે કે ઓટીટીએ તેની લાઇફ બદલી કાઢી છે. ‘સિલેક્શન ડે’, ‘મિર્ઝાપુર’ અને હવે ‘દિલ્હી ક્રાઇમ’ની બીજી સીઝનમાં કામ કરનાર રાજેશ તેલંગને ડિજિટલ પ્લૅટફૉર્મને લઈને ખૂબ જ પૉપ્યુલારિટી મળી છે. આ વિશે વાત કરતાં રાજેશે કહ્યું હતું કે ‘મેં કંઈ નથી કર્યું. ઓટીટીએ મારી લાઇફ બદલી કાઢી છે. ઓટીટીને કારણે હું વધુ લોકો સુધી પહોંચી શક્યો છું અને વધુ પાત્રોને એક્સપ્લોર કરી શક્યો છું. ઍક્ટર તરીકે ઓટીટીએ મને ખૂબ જ સપોર્ટ કર્યો છે. હું આજે ઓટીટીને કારણે યુથ સુધી પણ પહોંચી શકું છું અને મારે જેવાં પાત્રો ભજવવાં હોય એ ભજવી શકું છું.’