Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > ઇમોશનલી અને પ્રોફેશનલી સ્ટેબલ થયા બાદ લગ્ન કરશે અર્જુન

ઇમોશનલી અને પ્રોફેશનલી સ્ટેબલ થયા બાદ લગ્ન કરશે અર્જુન

12 August, 2022 02:22 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મલાઇકા અરોરા સાથેના તેના રિલેશન જગજાહેર છે

અર્જુન કપૂર

અર્જુન કપૂર


અર્જુન કપૂરે જણાવ્યું છે કે તે હાલમાં લગ્ન નથી કરવા માગતો, પરંતુ કરીઅર પર ધ્યાન આપવા માગે છે. મલાઇકા અરોરા સાથેના તેના રિલેશન જગજાહેર છે. બન્ને છાશવારે ક્વૉલિટી ટાઇમ પસાર કરતા દેખાય છે. સોશ્યલ મીડિયામાં પણ તેઓ પોતાના પ્રેમનો એકરાર કરે છે. ‘કૉફી વિથ કરન’માં અર્જુને જણાવ્યું હતું કે મલાઇકાએ તેની નાની સાથે પણ મુલાકાત કરી છે. સાથે જ અર્જુનનું માનવું છે કે તે પોતાની ફૅમિલી, મલાઇકાના એક્સ-હસબન્ડ અરબાઝ ખાનની ફૅમિલી અને લોકો પ્રતિ પણ સંવેદન રહેવા માગે છે. 

કરણ જોહરે ‘કૉફી વિથ કરન’માં અર્જુનને લગ્ન કરવા વિશે પૂછ્યું હતું. એનો જવાબ આપતાં અર્જુને કહ્યું કે ‘ના હાલમાં તો હું લગ્ન નથી કરવા માગતો, કારણ કે બે વર્ષ લૉકડાઉન અને કોવિડમાં પસાર થઈ ગયા છે. એથી હું મારી કરીઅર પર ધ્યાન રાખવા માગુ છું. હું રિયલિસ્ટિક વ્યક્તિ છું. એવું નથી કે હું કાંઈ પણ છુપાવવા માગું છું. ખરું કહું તો હું પ્રોફેશનલી થોડો સ્થિર થવા માગું છું. હું ઇમોશનલી સ્થિર થવાની વાત કરું છું. હું એવું કામ કરવા માગું છું જેનાથી મને ખુશી મળે. જો હું ખુશ હોઈશ તો હું મારા પાર્ટનરને પણ ખુશ રાખી શકીશ. ખુશખુશાલ જીવન પસાર કરી શકીશ. મારું એવું માનવું છે કે કામથી જ મને ઘણીબધી ખુશીઓ મળે છે.’


Whatsapp-channel Whatsapp-channel

12 August, 2022 02:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK