Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > શું કામ બદલાઈ જાય છે આખેઆખી સ્ક્રિપ્ટ ‘ભાબીજી ઘર પર હૈં’ના સેટ પર?

શું કામ બદલાઈ જાય છે આખેઆખી સ્ક્રિપ્ટ ‘ભાબીજી ઘર પર હૈં’ના સેટ પર?

14 April, 2021 03:10 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અનંગ દેસાઈ આવ્યા પછી ‘ભાબીજી ઘર પર હૈં’ ટીઆરપી રેટિંગમાં ઉપર આવી છે એ પણ હકીકત છે.

શું કામ બદલાઈ જાય છે આખેઆખી સ્ક્રિપ્ટ ‘ભાબીજી ઘર પર હૈં’ના સેટ પર?

શું કામ બદલાઈ જાય છે આખેઆખી સ્ક્રિપ્ટ ‘ભાબીજી ઘર પર હૈં’ના સેટ પર?


સિરિયલમાં અનંગ દેસાઈ એન્ટર થયા પછી આસિફ શેખ અને રોહિતાશ્વ ગૌડ નવી-નવી કૉમેડી એકધારી ઉમેર્યા કરે છે જેને લીધે સિરિયલને એક નવી ઊંચાઈ મળી છે ઍન્ડ ટીવીના સુપરહિટ શો ‘ભાબીજી ઘર પર હૈં’ના સેટ પર થોડા સમયથી વાતાવરણ બદલાયું છે અને કૅમેરા સામે જેટલી મસ્તી થાય છે એના કરતાં ડબલ મજાક-મસ્તી કૅમેરાની પાછળ થાય છે. જેનું કારણ છે અનંગ દેસાઈ, આસિફ શેખ અને રોહિતાશ્વ ગૌડ. સિરિયલમાં અનીતાભાભીના પપ્પાનું કૅરૅક્ટર કરતા અનંગ દેસાઈ, વિભૂતિ અને તિવારીજીનું કૅરૅક્ટર કરતા આ ત્રણ ઍક્ટરનું કોમિક ટાઇમિંગ એ સ્તરે શોને લઈ જાય છે કે શૂટ માટે આવેલી આખેઆખી સ્ક્રિપ્ટ શૂટિંગ દરમ્યાન ચેન્જ થઈ જાય છે, કારણ એક જ છે, બધા પોતપોતાના તરફથી કૉમેડીને એક નવા મુકામ પર પહોંચાડે છે. આસિફ શેખ કહે છે, ‘અનંગજી આવવાને કારણે કૉમેડીમાં અક્સ્પીરિયન્સનો ઉમેરો પણ થયો છે. અનંગ દેસાઈનું કોમિક ટાઇમિંગ અદ્ભુત છે, સાથોસાથ તેઓ ડાયલૉગ્સમાં પણ જબરદસ્ત પંચ લાવે છે, જેને લીધે ઇમ્પ્રૂવાઇઝેશનના ચાન્સ વધી ગયા છે.’ અનંગ દેસાઈ આવ્યા પછી ‘ભાબીજી ઘર પર હૈં’ ટીઆરપી રેટિંગમાં ઉપર આવી છે એ પણ હકીકત છે.


Whatsapp-channel Whatsapp-channel

14 April, 2021 03:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK