Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > મનુ પંજાબીએ ‘ખતરોં કે ખિલાડી’ કરવાની કેમ ના પાડી દીધી?

મનુ પંજાબીએ ‘ખતરોં કે ખિલાડી’ કરવાની કેમ ના પાડી દીધી?

08 April, 2021 02:43 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બિગ બૉસમાં સર્વાઇવ કરનાર મનુ પંજાબીને કીડામકોડાથી કંટાળો આવે છે

મનુ પંજાબી

મનુ પંજાબી


બિઝનેસમૅન અને રિયલિટી શો ‘બિગ બૉસ’ની દસમી સીઝનમાં સામાન્ય વ્યક્તિ તરીકે એન્ટર થયેલા મનુ પંજાબીએ અન્ય એક રિયલિટી શોમાં ભાગ લેવાની ના પાડી દીધી છે. સામાન્ય રીતે લાઇમલાઇટમાં રહેવા લોકો રિયલિટી શોનો ભાગ બનતા હોય છે. મનુ પંજાબી ‘બિગ બૉસ’ની દસમી બાદ ૧૪મી સીઝનમાં પણ દેખાયો હતો અને એના થકી જ લોકો તેને ઓળખે છે.
વાત એમ છે કે સ્ટન્ટ બેઝ્ડ રિયલિટી શો ‘ખતરોં કે ખિલાડી’ની આગામી આઠમી સીઝનમાં મનુ પંજાબીએ પાર્ટિસિપેટ કરવાનો અસ્વીકાર કર્યો છે. કારણ આપતાં તેણે કહ્યું હતું કે ‘હું ચીતરી ચડે એવાં પ્રાણીઓ સહન નથી કરી શકતો. આ રિયલિટી શો છે અને હું માનું છું કે એમાં હું રિયલમાં જેવો હોઉં તેવા મારે દેખાવાનું હોય. અને આ મારા ટાઇપનો શો જ નથી, કેમ કે એમાં સ્પર્ધકો પર વિચિત્ર જંતુઓ નાખવામાં આવે છે. મને તો મૅગેઝિનમાં પણ કીડામકોડા જોઈને કંટાળો આવે છે, આ તો રિયલ છે.’ 
મનુ પંજાબીએ તાજેતરમાં જ ક્રિકેટની થીમ પર એક મ્યુઝિક વિડિયો શૂટ કર્યો છે. તેણે કહ્યું હતું કે ‘મારી ઇમેજ રોમૅન્ટિક હીરોની નથી અને હું મારી જાતને સ્ક્રીન પર હિરોઇનને ચેઝ કરતો નથી કલ્પી શકતો. હું જે નથી એવું ઍક્ટ નથી કરી શકતો.’


Whatsapp-channel Whatsapp-channel

08 April, 2021 02:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK