Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ક્વૉરન્ટીન રહીને ઐશ્વર્યા શર્માએ કર્યું શું?

ક્વૉરન્ટીન રહીને ઐશ્વર્યા શર્માએ કર્યું શું?

05 April, 2021 12:04 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

સ્ટાર પ્લસના શો ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ની લીડ ઍક્ટ્રેસને કોવિડ થતાં એ ૧૦ દિવસ એકાંતવાસમાં રહીને ફરી સેટ પર આવી

ઐશ્વર્યા શર્મા

ઐશ્વર્યા શર્મા


નવેસરથી કોવિડનું સંક્રમણ ફરી રહ્યું છે ત્યારે ટીવી-સિરિયલના સેટ પર પણ એ દેખાવા લાગ્યું છે. હમણાં જ સ્ટાર પ્લસની સિરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ના સેટ પર કોવિડ આવ્યો જેને લીધે સિરિયલનાં લીડ સ્ટાર્સ ઐશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટ બન્ને કોરોનાગ્રસ્ત થયાં અને ઘરમાં ક્વૉરન્ટીન થવું પડ્યું. અલબત્ત, હવે બન્ને બહાર છે અને શનિવારથી બન્નેએ શૂટ પણ શરૂ કર્યું છે. પોતાનો ક્વૉરન્ટીન પિરિયડ કેવો રહ્યો એની વાત કરતાં ઐશ્વર્યાએ કહ્યું કે ‘માથું ફાટી ગયું એકલા રહી-રહીને. બહુ બોરિંગ સમય હતો એ. તમે એકલા રહીને કરો પણ શું? મેં વાંચવાનું કામ કર્યું, ટીવી જોયું, વેબ-સિરીઝ જોઈ અને એ પછી પણ ટાઇમ જતો નહીં અને દિવસ લાંબો લાગતો હતો.’ ઐશ્વર્યા કહે છે, ‘હું તમને બધાને પણ કહીશ કે પ્લીઝ સાવચેતી રાખજો.’

નીલે શું કર્યું ક્વૉરન્ટીનમાં?
‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ના લીડ સ્ટાર નીલ ભટ્ટને પણ કોરોના થતાં તે પણ ઘરમાં ક્વૉરન્ટીન રહ્યો હતો. નીલે કહ્યું કે ‘મારે માટે આ પિરિયડ જરા પણ ખરાબ નહોતો. મને આમ પણ પહેલેથી એકાંત ગમે. મેં આ પિરિયડમાં ઘરે રહીને અમારી સિરિયલના બધા એપિસોડ જોઈ લીધા અને વેબ-સિરીઝ પણ જોઈ. મારો નિયમ હતો કે હું સવાર-સાંજ બ્રિધિંગ એક્સરસાઇઝ કરતો, જેને માટે મારે બન્ને ટાઇમ ૪૫ મિનિટ આપવાની હતી.’


Whatsapp-channel Whatsapp-channel

05 April, 2021 12:04 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK