જેઠાલાલ ઉર્ફે દિલીપ જોષીએ પોતાના ચાહકોને એક ખુશખબર આપી છે. તેઓ આ મહિને તેમની પુત્રી નિયતિ જોશીના લગ્ન કરવા જઈ રહ્યા છે.
તસવીરઃ મિડ-ડે
ટીવીનો લોકપ્રિય શો `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા` (Taarak mehta ka ooltah chashma)લાંબા સમયથી નંબર વન રહ્યો છે. લોકો શોની સ્ટાર કાસ્ટને પસંદ કરે છે. આ જ કારણ છે કે ચાહકો તેના અંગત જીવન સાથે જોડાયેલી માહિતી માટે પણ ખૂબ ઉત્સુક છે. જેઠાલાલ, દયાબેન, પોપટલાલ, ચંપક લાલ, તારક મહેતા, ગોગી કે ટપ્પુના પાત્રોને લોકોનો ઘણો પ્રેમ મળ્યો છે. ખાસ કરીને જેઠાલાલ અને દયાબેનની મસ્તી અને નોક-જોંક ખૂબ જ ગમે છે.
જેઠાલાલ ઉર્ફે દિલીપ જોષીએ પોતાના ચાહકોને એક ખુશખબર આપી છે. તેઓ આ મહિને તેમની પુત્રી નિયતિ જોશીના લગ્ન કરવા જઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નિયતિના લગ્ન 11 ડિસેમ્બરે મુંબઈની તાજ હોટલમાં થશે. દિલીપે તેની વહાલી દીકરીના લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની આખી ટીમ સાથે બૉલિવૂડ સેલેબ્સ અને ટીવી સ્ટાર્સને આ ફંક્શનમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.
ADVERTISEMENT
દયાબેન આ લગ્નમાં હાજરી આપી શકશે નહીં તેવા અહેવાલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે લગ્નનું આમંત્રણ સ્વીકારી લીધું છે અને દીકરીને આશીર્વાદ આપવા દિલીપના ઘરે આવશે. પરંતુ સમારોહનો ભાગ બની શકશે નહીં. આ અંગે દિલીપ અને દિશા વાકાણી તરફથી કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી. હવે જોવાનું એ રહેશે કે શું દયાબેન આ લગ્નમાં જશે કે નહીં?
નોંધનીય છે કે દિલીપ જોશીની પત્નીનું નામ જયમાલા જોશી છે. બંનેને એક પુત્ર અને એક પુત્રી છે. તેમના પુત્રનું નામ ઋત્વિક જોશી અને પુત્રીનું નામ નિયતિ જોશી છે. દિલીપ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પરિવાર સાથે તસવીરો શેર કરતો રહે છે.