મનુના પિતાનું પાત્ર ભજવતા દયા શંકર પાન્ડે જાદુગર બનવા માગતા હોય છે. આથી આ મોર્યા ફૅમિલીની દરેક વ્યક્તિ બહુ જલદી દર્શકોને મનોરંજન પૂરું પાડવા આવી રહી છે.
મોર્યા ફૅમિલી લઈને આવી ‘સબ સતરંગી’
સોની સબ પર મોર્યા ફૅમિલી હવે ‘સબ સતરંગી’ લઈને આવી રહી છે. સાત ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા આ શોમાં મોહિત કુમાર, દયા શંકર પાન્ડે, જોયોશ્રી અરોરા, પુરુ ચિબ્બર, સત્યજિત શર્મા જેવા ઘણા ઍક્ટર્સ છે. આ એક ફૅમિલી ડ્રામા છે જે લખનઉ બેઝ્ડ શો છે. આ શોમાં મોહિત કુમાર મનુનું પાત્ર ભજવી રહ્યો હોય છે. તે તેની દાદીનો લાડલો હોય છે. દાદીનું પાત્ર જોયોશ્રી અરોરા ભજવી રહી છે. તે ૭૩ વર્ષનાં એક સફળ લાઇફ ઇન્શ્યૉરન્સ એજન્ટ હોય છે. તેઓ તેમની મહત્ત્વાકાંક્ષાને કોઈ પણ રીતે છોડવા નથી માગતાં અને તેમનું પોતાનું ધારેલું કરે છે અને લાઇફમાં આવતી તમામ ચૅલેન્જને મહાત આપે છે. શોની સ્ટોરી મનુનાં લગ્નની તૈયારીથી થાય છે. મનુના પિતાનું પાત્ર ભજવતા દયા શંકર પાન્ડે જાદુગર બનવા માગતા હોય છે. આથી આ મોર્યા ફૅમિલીની દરેક વ્યક્તિ બહુ જલદી દર્શકોને મનોરંજન પૂરું પાડવા આવી રહી છે.