અત્યારે ‘મન કી આવાઝ પ્રતિજ્ઞા’ની સેકન્ડ સીઝનમાં જોવા મળતી ઍક્ટ્રેસે છેલ્લા ૬ મહિનામાં એટલી વેબ-સિરીઝ જોઈ છે કે હવે તેને પોતાને પણ વેબ-સિરીઝ પર જ ફોકસ કરવું છે
શિવાંગી જોશી
સ્ટાર ભારતના શો ‘મન કી આવાઝ પ્રતિજ્ઞા’ની નવી સીઝનમાં જોવા મળતી શિવાંગી જોશીએ અઢળક સિરિયલો કરી છે, પણ હવે તેની ઇચ્છા છે કે એ વેબ-સિરીઝ કરે. શિવાંગીએ એને માટે હાથપગ મારવાનું શરૂ કરી દીધું છે અને શિવાંગી ઑલમોસ્ટ એકતા કપૂરની વેબ-સિરીઝમાં ફાઇનલ પણ છે.
શિવાંગી કહે છે, ‘વેબ-સિરીઝનો પ્લસ પૉઇન્ટ એ છે કે એમાં કન્ટેન્ટ વધારે મહત્ત્વનું છે. કન્ટેન્ટ સ્ટ્રૉન્ગ હોવાને લીધે બને એવું કે કૅરૅક્ટર પણ ઑનેસ્ટી સાથે આગળ વધતું હોય. સીધી વાત અને ડિટેલિંગ સાથેની વાત એ વેબ-સિરીઝનો પ્લસ પૉઇન્ટ છે.’
ADVERTISEMENT
શિવાંગી જોશી છેલ્લાં ૧૦ વર્ષથી વેબ-સિરીઝમાં છે. ૧૨થી વધારે સિરિયલ કરી ચૂકેલી શિવાંગીને જે વેબ-સિરીઝ ઑફર થઈ છે એ મુંબઈની સત્યઘટના પર આધારિત છે.