Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ઑડિયન્સ સર્વોપરી

15 April, 2021 01:04 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રામાનંદ સાગરની સુપરહિટ થયેલી ‘રામાયણ’એ લૉકડાઉનમાં જે રીતે ટીઆરપીમાં નંબર વન બનીને ધમાલ મચાવી દીધી એ જોઈને સ્ટાર ભારતે આ જ સિરિયલ ફરીથી દેખાડવાનું નક્કી કર્યું

રામાયણ

રામાયણ


દીપિકા ચીખલિયા, અરુણ ગોવિલ, સુનીલ લાહિરી અને અરવિંદ રાઠોડ અભિનીત રામાનંદ સાગરની ‘રામાયણ’ આજે પણ લોકોમાં એટલી જ પૉપ્યુલર છે એ વાત ગયા વર્ષે લૉકડાઉનમાં પુરવાર થઈ ગઈ અને ‘રામાયણ’એ ટીઆરપીના બધા રેકૉર્ડ તોડી આજની સિરિયલોને પણ પાછળ રાખી દીધી. ઑડિયન્સની આ જ ચૉઇસને જોઈને હવે સ્ટાર ભારતે નક્કી કર્યું છે કે દરરોજ સાંજે સાત વાગ્યે ‘રામાયણ’ રીટેલિકાસ્ટ કરવામાં આવશે.
ગયા વર્ષે લૉકડાઉન દરમ્યાન ‘રામાયણ’ના કારણે લોકો ઘરમાં રહ્યા હતા. કોવિડ વાઇરસના ફેલાવાને રોકવામાં સરકાર સફળ થઈ હતી. આ વખતે પણ એવું જ બને એવા હેતુથી ‘રામાયણ’નું પુનઃપ્રસારણ કરવાનું ચૅનલે વિચાર્યું છે. ‘રામાયણ’નું પહેલું ટેલિકાસ્ટ ૧૯૮૮ના જાન્યુઆરી મહિનામાં એટલે કે તેત્રીસ વર્ષ પહેલાં થયું હતું અને એ પછી પણ એ સિરિયલ આજે પણ ચાર્ટબસ્ટર છે.


Whatsapp-channel Whatsapp-channel

15 April, 2021 01:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK