Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ફિક્શન સિરીઝમાં રિયલ લાઇફ પાત્ર તરીકે ડેબ્યુ કરશે સાનિયા મિર્ઝા

ફિક્શન સિરીઝમાં રિયલ લાઇફ પાત્ર તરીકે ડેબ્યુ કરશે સાનિયા મિર્ઝા

13 November, 2020 11:20 PM IST | Mumbai
Agencies

ફિક્શન સિરીઝમાં રિયલ લાઇફ પાત્ર તરીકે ડેબ્યુ કરશે સાનિયા મિર્ઝા

ફિક્શન સિરીઝમાં રિયલ લાઇફ પાત્ર તરીકે ડેબ્યુ કરશે સાનિયા મિર્ઝા

ફિક્શન સિરીઝમાં રિયલ લાઇફ પાત્ર તરીકે ડેબ્યુ કરશે સાનિયા મિર્ઝા


સાનિયા મિર્ઝા ટીબી માટે અવેરનેસ ફેલાવતા એક ફિક્શન વેબ-શોમાં તેના રિયલ લાઇફ પાત્ર તરીકે ડેબ્યુ કરી રહી છે. એમટીવીની ‘નિશેધ અલોન ટુગેધર’માં તે જોવા મળશે. ‘એમટીવી નિશેધ’ના ડિજિટલ સ્પિન-ઑફ શોમાં તે જોવા મળશે. કોરોના વાઇરસના સમયમાં ટીબીના પેશન્ટ દ્વારા કેવી કાળજી લેવી એની આ શોમાં વાત કરવામાં આવશે. આ વિશે સાનિયાએ કહ્યું હતું કે ‘આપણા દેશમાં ટીબી હજી પણ ખૂબ જ ગંભીર બીમારી છે. આ તમામ કેસમાં અડધાથી વધુ કેસમાં 30થી નીચેની ઉંમરની વ્યક્તિઓ હોવાથી આ બીમારીને ગંભીરતાથી લેવાની જરૂર છે જેથી ટકાવારીમાં બદલાવ લાવી શકાય.’
સાનિયાએ કહ્યું હતું કે ‘એમટીવીની ‘નિશેધ અલોન ટુગેધર’ને ખૂબ જ યુનિક અને અસરકારક રીતે રજૂ કરવામાં આવી છે. આપણા દેશના યુવાન આ બીમારી વિશે વધુ જાગરૂક, સેન્સિટિવ અને સચેત છે. ટીબી ખૂબ જ ખતરનાક છે અને કોરોના વાઇરસને કારણે એ ઘાતક બની શકે છે. ટીબીને નાબૂદ કરવાની મુહિમ વધુ મુશ્કેલ બની ગઈ છે અને એથી જ હું આ શો માટે તૈયાર થઈ છું. મને આશા છે કે મારી હાજરીથી આ મેસેજને વધુ લોકો સુધી પહોંચાડી શકાશે અને પૉઝિટિવ ચેન્જ આવી શકશે.’


Whatsapp-channel Whatsapp-channel

13 November, 2020 11:20 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK