પત્ની જેનિલિયાની યાદદાસ્ત વિશે રિતેશ દેશમુખે કહ્યું...
‘ધ કપિલ શર્મા શો’માં જેનિલિયા અને રિતેશ દેશમુખ
રિતેશ દેશમુખનું કહેવું છે કે તેની પત્ની જેનિલિયાની યાદદાસ્ત ખૂબ જ સારી છે. તેઓ હાલમાં જ ‘ધ કપિલ શર્મા શો’માં જોવા મળ્યાં હતાં. આ શોમાં કપિલ શર્માએ જ્યારે દસ વર્ષ જૂની કોઈ વાત છે એ સવાલ જેનિલિયાને કર્યો ત્યારે રિતેશે વચ્ચે કહ્યું હતું કે ‘નહીં. નહીં. આ ખોટો સવાલ છે. તેને તો ઘણી વાર ગયા જન્મની વાત પણ યાદ આવે છે.’
તેની યાદદાસ્તનો ક્યારેય ફાયદો થયો છે એ વિશે પૂછતાં રિતેશે કહ્યું હતું કે ‘મેમરીનો ફાયદો કયા પુરુષને થયો છે? કેટલીક વાર મારે જેનિલિયાને સમજાવવું પડે છે કે આ ઘટના આ જન્મમાં નહીં પરંતુ ગયા જન્મમાં થઈ હશે, કારણ કે એ મને જરા પણ યાદ નથી. અમે પહેલી ફિલ્મ ‘તુઝે મેરી કસમ’ કરી હતી એના શેડ્યુલની તારીખો પણ તેને યાદ છે.’
ADVERTISEMENT
આ વાત જાણીને અર્ચના પૂરણ સિંહને ઘણું આશ્ચર્ય થયું હતું. આ વિશે જેનિલિયાએ કહ્યું હતું કે ‘મને નથી ખબર કેવી રીતે યાદ રહી જાય છે, પરંતુ મારી મેમરી ખૂબ જ સારી છે. મને એના પર ખૂબ જ ગર્વ પણ છે.’