બસ, આ બેને કારણે પૂજા ગોરને ‘મન કી આવાઝ પ્રતિજ્ઞા’માં મજા પડી ગઈ છે
પૂજા ગોરને લવ ટ્રાયેન્ગલમાં ખૂબ જ મજા આવે છે
પૂજા ગોરને લવ ટ્રાયેન્ગલમાં ખૂબ જ મજા આવે છે. ‘મન કી આવાઝ પ્રતિજ્ઞા’માં તે પ્રતિજ્ઞાનું પાત્ર ભજવી રહી છે. પહેલી સીઝનના ધી એન્ડ બાદ નવ વર્ષ બાદ એની બીજી સીઝન આવી રહી છે. આ વિશે વાત કરતાં પૂજાએ કહ્યું હતું કે ‘હું પર્સનલી માનું છું કે જે લોકોને પસંદ પડે છે એ ચાલે છે પછી એ લવ-ટ્રાયેન્ગલ હોય કે સાસ-બહૂના ડ્રામા કે પછી બીજું કંઈ. જોકે અમારા શોનો અત્યારનો ટ્રૅક લવ-ટ્રાયેન્ગલ છે અને લોકોને એ પસંદ પડી રહ્યો છે, કારણ કે એમાં ખૂબ જ ડ્રામા છે. એ સારી વાત છે, કારણ કે થોડો અલગ પણ છે.’