‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં સ્વર્ણા ગોએન્કાનું પાત્ર ભજવતી ઍક્ટ્રેસને આમ કરવાથી બહુ થાક લાગે છે
નિયતી જોશી
નિયતિ જોષી હાલમાં તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને બૅલૅન્સ કરવાની ખૂબ કોશિશ કરી રહી છે. તે ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં સ્વર્ણા ગોએન્કાનું પાત્ર ભજવી રહી છે. પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને બૅલૅન્સ કરવા વિશે પૂછતાં નિયતિએ કહ્યું કે ‘સરકાર દ્વારા અત્યારે ટાઇમિંગને લઈને વધુ રિસ્ટ્રિક્શન નથી રાખ્યાં એટલે મને સમય મળી રહે છે. રેગ્યુલર દિવસે હું મારા કેટલાક ફ્રેન્ડ્સ સાથે કૉન્ટૅક્ટમાં રહું છું. જોકે હું તેમની સાથે મોડી રાત સુધી સોશ્યલાઇઝ નથી કરી શકતી, કારણ કે પછી બીજા દિવસે થાક લાગે છે.
જોકે હું મહિનાના ૩૦ દિવસ શૂટિંગ કરું એવું પણ નથી. એવા પણ દિવસો હોય છે જેમાં હું આરામ કરું છું અને ફ્રેન્ડ્સ સાથે સોશ્યલાઇઝ થાઉં છું.