Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > મનોજ ચાંડીલાએ લૉકડાઉનમાં અઢળક પુસ્તકો વાંચ્યાં

મનોજ ચાંડીલાએ લૉકડાઉનમાં અઢળક પુસ્તકો વાંચ્યાં

16 June, 2021 11:56 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઍક્ટર માત્ર સ્ક્રિપ્ટ વાંચે એ વાતને ટીવી-સ્ટારે તોડી નાખી અને ફૅન્સને અગત્યની સલાહ આપી

મનોજ ચાંડીલા

મનોજ ચાંડીલા


‘તેરી મેરી ઇક જિંદરી’ના પપ્પુજી એટલે મનોજ ચાંડીલાનું માનવું છે કે આ જે લૉકડાઉન આવ્યું એ લૉકડાઉન શોખને ડેવલપ કરવા માટે કે પછી શોખ પૂરા કરવાના હેતુથી આવ્યું હતું. મનોજ કહે છે, ‘આ લૉકડાઉનમાં જેણે આ બેમાંથી કંઈ નથી કર્યું તેને કોરોના તો શું બીજું પણ કોઈ કનડી નહીં શકે. આ ફાજલ સમય હતો જ અંદરથી સમૃદ્ધ થવાનો અને એ જ કામ કરવાનું હતું. મેં પણ એ જ કર્યું છે.’

મનોજની સિરિયલનું શૂટિંગ ચાલુ હતું, પણ બીજી બધી બાબતોમાં તેને નવરાશ મળી ગઈ હતી એટલે મનોજ ઘરે આવીને બુક્સ વાંચવા બેસી જતો. મનોજે આ દિવસોમાં ચેતન ભગતથી માંડીને ખાલિદ હુસેની, ડૅનિયલ કાહનેમૅન, રૉબર્ટ ગ્રીનની નવલકથાઓ વાંચી તો પરમહંસ યોગાનંદ દ્વારા લખવામાં આવેલી ‘ઑટોબાયોગ્રાફી ઑફ અ યોગી’ પણ વાંચી. મનોજ કહે છે, ‘એ વાંચતાં-વાંચતાં મને સમજાયું કે જીવનનો એક ચોક્કસ હેતુ હોય છે અને એ હેતુને હાંસલ કરવાનો હોય છે. હું તમને બધાને પણ એ જ કહીશ, હેતુ વિના જીવતા નહીં. મક્સદ જ જીવનનું ધ્યેય છે અને એ જ પામવાનું હોય છે.’



મનોજ અત્યારે સદ્ગુરુ જગ્ગીજીની ‘કર્મા’ વાંચી રહ્યો છે. જગ્ગીજીનાં અન્ય પુસ્તકો પણ તેણે વાંચી લીધાં છે.


Whatsapp-channel Whatsapp-channel

16 June, 2021 11:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK