આવતી કાલે છેલ્લો એપિસોડ
‘કુરબાન હુઆ’ થશે બંધ
‘કુરબાન હુઆ’ હવે બંધ થવા જઈ રહી છે. આ શોનો છેલ્લો એપિસોડ ૧૭ સપ્ટેમ્બરે રજૂ કરવામાં આવશે. આ શોમાં ચાહતનું પાત્ર પ્રતિભા રાંતા અને નીલનું પાત્ર રાજવીર સિંહ ભજવી રહ્યાં છે. લગભગ દોઢ વર્ષ બાદ હવે આ શો બંધ થવા જઈ રહ્યો છે. આ વિશે પ્રતિભાએ કહ્યું હતું કે ‘ઇન્ડસ્ટ્રીમાં મેં ‘કુરબાન હુઆ’ દ્વારા ડેબ્યુ કર્યો હતો એથી આ શો મારા માટે ખૂબ જ સ્પેશ્યલ છે. મને લાગે છે કે ચાહતે મને નવી ઓળખ આપી છે
અને આ પાત્ર દ્વારા મને મળેલા પ્રેમને હું હંમેશાં સાચવીને રાખીશ. આજે હું જે છું એ માટે હું મારા ચાહકોની આભારી છું. આ માટે હું મારા કો-સ્ટાર્સ અને ટીમનો પણ આભાર માનું છું જેમને કારણે ચાહત એક અદ્ભુત પાત્ર બન્યું છે. આ ખૂબ જ સારી મુસાફરી રહી છે.’