Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > સોનાક્ષીની થશે અગ્નિપરીક્ષા

સોનાક્ષીની થશે અગ્નિપરીક્ષા

21 July, 2021 02:41 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘કુછ રંગ પ્યાર કે ઐસે ભી : નયી કહાની’માં આયુષ્માનની એન્ટ્રી પછી માહોલમાં જબરું ટેન્શન ક્રીએટ થવાનું છે

એરિકા ફર્નાન્ડિસ

એરિકા ફર્નાન્ડિસ


‘કુછ રંગ પ્યાર કે ઐસે ભી : નયી કહાની’માં સોનાક્ષી એટલે કે એરિકા ફર્નાન્ડિસે અગ્નિપરીક્ષા આપવી પડશે. હાલમાં શરૂ થયેલા આ શોમાં વિવિધ ટ્વિસ્ટ આવી રહ્યા છે. આ શોમાં હાલમાં જ આયુષ્માનના પાત્રની એન્ટ્રી કરવામાં આવી છે. એને કારણે દેવ એટલે કે શાહિર શેખ, સોનાક્ષી એટલે કે એરિકા અને ઈશ્વરી એટલે કે સુપ્રિયા પિળગાવકરની લાઇફ પર ઘણી અસર પડી છે. ઈશ્વરી અને સોનાક્ષીના સંબંધો તાણમાં આવી ગયા છે તથા દેવ પણ સોનાક્ષીને તેની જવાબદારીઓને લઈને સવાલ કરી રહ્યો છે. આયુષ્માન હવે તેના પેરન્ટ્સ દેવ અને સોનાક્ષી પાસે જતો રહે છે. શું આ ફૅમિલી આયુષ્માનને તેમના દીકરા તરીકે સ્વીકાર કરે કે નહીં એ જોવું રહ્યું. આ વિશે એરિકાએ કહ્યું કે ‘સોનાક્ષીએ ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને તેણે હવે ફરી અગ્નિપરીક્ષા આપવી પડશે. આયુષ્માન રિયલમાં સોનાક્ષીનો દીકરો છે એની જાણ થયા બાદ હવે તેના સંબંધ તેની દીકરી સુહાના અને પતિ દેવ સાથે થોડા તાણમાં આવી ગયા છે. સુહાનાને તે તેનાથી દૂર કરવા નથી માગતી અને આયુષ્માનનો તેણે સ્વીકાર પણ કરવો છે. આ માટે તે ઘણી પ્રાર્થના કરી રહી છે, પરંતુ શું થાય એ જોવું રહ્યું.’


Whatsapp-channel Whatsapp-channel

21 July, 2021 02:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK