કનિકા સોશ્યલ મીડિયા પરનું ફની કન્ટેન્ટ એન્જૉય કરે જ છે. તે કહે છે, ‘અમુક ખરેખર ક્રીએટિવ કન્ટેન્ટ જોવા મળે છે. મેં ગયા વર્ષે ‘મન્ડે મોટિવેશન’ નામની સિરીઝ શરૂ કરી હતી, જેમાં હું મારી જિંદગીમાંથી શીખી એ લેસન્સ લોકો સમક્ષ રજૂ કરતી હતી.
કનિકા મહેશ્વરી
‘કહાની ઘર ઘર કી’, ‘રાજા કી આયેગી બારાત’, ‘કભી આયે ના જુદાઈ’, ‘દિયા ઔર બાતી હમ’ અને ‘વિરાસત’ સહિતની ટીવી-સિરિયલ કરી ચૂકેલી ઍક્ટ્રેસ કનિકા મહેશ્વરીનું માનવું છે કે સોશ્યલ મીડિયા પર બિનજરૂરી કન્ટેન્ટ મૂકવું જરૂરી નથી.
છેલ્લે સોની ટીવીના ‘ક્યું ઉથે દિલ છોડ આયે’માં જોવા મળેલી કનિકા મહેશ્વરીએ કહ્યું કે ‘એ સાચું છે કે હું અભિનેત્રી છું અને એક પબ્લિક ફિગર છું માટે ફૅન્સને અપડેટ રાખવા માટે મારા વિશેની વાતો પોસ્ટ કરતી રહું છું અને એનાથી ઇન્ડસ્ટ્રીમાં પણ રિલેવન્ટ રહેવાય છે, પણ હું એવી નથી કે શરૂ થયેલા કોઈ પણ ટ્રેન્ડ પાછળ આંધળી દોટ મૂકું. મને ખોવાઈ જવાનો એટલો ડર નથી કે એ માટે કંઈ પણ પોસ્ટ કરતી રહું.’
જોકે કનિકા સોશ્યલ મીડિયા પરનું ફની કન્ટેન્ટ એન્જૉય કરે જ છે. તે કહે છે, ‘અમુક ખરેખર ક્રીએટિવ કન્ટેન્ટ જોવા મળે છે. મેં ગયા વર્ષે ‘મન્ડે મોટિવેશન’ નામની સિરીઝ શરૂ કરી હતી, જેમાં હું મારી જિંદગીમાંથી શીખી એ લેસન્સ લોકો સમક્ષ રજૂ કરતી હતી. જોકે મારા ફૅન્સ મને ગંભીરતાથી સાંભળે છે, મને ચાહે છે માટે મારી નૈતિક જવાબદારી છે તેમની સાથે કમ્યુનિકેશન કરવાની જે હું કરું છું.’