શોએ ટીવી પર સાસ-બહૂના ટ્રેન્ડને શરૂ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો
સાક્ષી તનવર
સાક્ષી તનવરનું કહેવું છે કે ‘કહાની ઘર ઘર કી’એ લોકો માટે એક બેન્ચમાર્ક સેટ કર્યો છે. આ શો તેર વર્ષ બાદ ફરી સ્ટાર પ્લસ પર રજૂ થઈ રહ્યો છે. આ શોમાં સાક્ષીએ પાર્વતીનું પાત્ર ભજવ્યું હતું, જેને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. આ શોએ ટીવી પર સાસ-બહૂના ટ્રેન્ડને શરૂ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. આ વિશે સાક્ષીએ કહ્યું હતું કે ‘ટીવીમાં બદલાવ લાવવામાં આ શોએ એક બેન્ચમાર્ક બનાવ્યો છે. આજે પણ આપણે ટીવીમાં એવા શો જોઈ રહ્યા છીએ એ માટે અમારો શોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. ટીવી ઍક્ટર્સ અને દર્શકો વચ્ચેનું જે રિલેશન છે એ મારા માટે એકદમ યુનિક છે. ટીવી દ્વારા એક ખૂબ જ સુંદર ઇમોશનને એક્સચેન્જ કરવામાં આવે છે. આ શો જોવાથી એવું લાગે છે જાણે તમે તમારા પાડોશીને મળ્યા હો. ટીવી પર આ શો ફરી આવી રહ્યો હોવાથી હું ખૂબ જ ખુશ છું.’