ગદ્ધેપ્રસાદ તરીકે પૉપ્યુલર થયેલો જિતુ શિવહરે સોની સબના શોની ઑફરને ક્યારેય ના પાડતો નથી
જિતુ શિવહરે
સોની સબ ટીવી પર આવતા શો ‘જીજાજી છત પર કોઈ હૈ’માં નન્હેનું કૅરૅક્ટર કરતો જિતુ શિવહરેને જોઈને આજે પણ લોકોને તરત જ ‘ચીડિયાઘર’નો ગદ્ધેપ્રસાદ યાદ આવી જાય છે. જિતુ કહે છે, ‘કોઈ એક રોલથી ઍક્ટરને યાદ કરવામાં આવે એનો અર્થ એવો નથી કે ઍક્ટર બીજા રોલમાં લોકોને ગમતો નથી. હું માનું છું કે એક રોલ મનમાં કાયમી સ્ટોર થાય અને એ પછી લોકો એ ઍક્ટરને પ્રેમ કરવાનું શરૂ કરે.’
જિતુ સાથે અત્યારે એવું જ થઈ રહ્યું છે. નન્હેના કૅરૅક્ટરમાં જિતુને જોઈને લોકો ખુશ થાય છે અને તેને બહાર પણ બધા નન્હેના નામથી બોલાવવાનું શરૂ થઈ ગયું છે. જિતુ કહે છે, ‘હું શો નહીં, પણ ચૅનલને પૂછીને શો સ્વીકારું છું. સોની સબના એક પણ શોને મેં ના નથી પાડી અને હું ના પાડી પણ ન શકું. સોની સબ પર હિટ થતા શો માટે માત્ર પ્રોડક્શન-હાઉસ જ નહીં, ચૅનલની ક્રીએટિવ ટીમ પણ એટલી જ મહેનત કરતી હોય છે. નૅચરલી ઍક્ટર પણ એ જ ઇચ્છતો હોય છે કે તે જે શોમાં હોય એ શોમાં ક્રીએટિવલી વધારેમાં વધારે ધ્યાન આપવામાં આવે.’