આસામમાં મોટી થયેલી ઍક્ટ્રેસ પ્રિયશા ભારદ્વાજે દિલ્હીમાં અભ્યાસ કર્યો છે. ઍક્ટિંગ ફીલ્ડમાં આવી એ પહેલાં તેણે બૅન્કમાં, હૉસ્પિટલિટી સેક્ટર તથા માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં કામ કર્યું છે
પ્રિયાશા ભારદ્વાજ
ઓટીટી પ્લૅટફૉર્મ સોની લિવ પર ગયા મહિને રિલીઝ થયેલી સિરીઝ ‘લવ જે ઍક્શન’માં નયનતારાનું પાત્ર ભજવી રહેલી ઍક્ટ્રેસ પ્રિયશા ભારદ્વાજની શરૂઆત ડિઝની+હૉટસ્ટારની સિરીઝ ‘આર્યા’થી થઈ હતી. એમાં તેનું સૌંદર્યા નામનું પાત્ર હતું. પ્રિયશા કહે છે, ‘પહેલી વખત મેં મોટા સેટ અને જાણીતા કલાકારો સાથે કામ કર્યું હતું. ડિરેક્ટર રામ માધવાનીએ મારું પાત્ર પણ ખૂબ સરસ ડેવલપ કર્યું હતું, એ પાત્ર સિરીઝની વાર્તામાં મહત્ત્વનું પણ હતું.’
જોકે પ્રિયશા ભારદ્વાજને આ પાત્ર માટે ઘણી રાહ જોવી પડી હતી. તે કહે છે, ‘હું મુંબઈમાં કામ કરવા આવી ત્યારે મારા કોઈ ગૉડફાધર નહોતા. હું ઑડિશન્સ આપતી રહી, પણ કામ નહોતું મળતું. મેં ટીવી કમર્શિયલમાં કામ કર્યું અને કરીઅર ચલાવી. ‘આર્યા’માં મળેલા રોલ માટે મેં વર્ષો સુધી રાહ જોઈ છે. લગભગ બધા સ્ટુડિયો ખૂંદી વળી છું. અઢળક ઑડિશન્સ આપ્યાં છે.’
આસામમાં મોટી થયેલી પ્રિયશા ભારદ્વાજે દિલ્હીમાં અભ્યાસ કર્યો છે. ઍક્ટિંગ ફીલ્ડમાં આવી એ પહેલાં તેણે બૅન્કમાં, હૉસ્પિટલિટી સેક્ટરમાં તથા માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં કામ કર્યું છે. હાલમાં જુદા-જુદા જોનરની ત્રણ સિરીઝ સાઇન કરી ચૂકેલી પ્રિયશાનું ‘લવ જે ઍક્શન’માં લેસ્બિયનનું પાત્ર છે. તેણે જણાવ્યું કે ‘હા, પણ એને વલ્ગારિટીની રીતે નહીં, શટલ રીતે બતાવવામાં આવ્યું છે.’