Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ‘બાલવીર રિટર્ન્સ’માં દેવ આવશે પાછો : આ વખતે કરશે અલગ-અલગ સાત કૅરૅક્ટર

‘બાલવીર રિટર્ન્સ’માં દેવ આવશે પાછો : આ વખતે કરશે અલગ-અલગ સાત કૅરૅક્ટર

06 April, 2021 03:05 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હવે આ છેલ્લી ચાવી રાક્ષસ-રાણીના હાથમાં છે, જેની પાસેથી એ પાછી લાવવાનું કામ દેવ જોષીના આ નવાં કૅરૅક્ટર કરશે.

બાલવીર

બાલવીર


સોની સબ ટીવી પર ટીનેજર્સને જલસો કરાવી દેનારા શો ‘બાલવીર રિટર્ન્સ’માં બાલવીરનું મૃત્યુ થયું છે, પણ એમ છતાં બાલવીર એટલે કે ઍક્ટર દેવ જોષી શો સાથે જોડાયેલો રહેશે અને ‘બાલવીર રિટર્ન્સ’માં જોવા મળશે. અલબત્ત આ વખતે દેવ બાલવીર તરીકે નહીં, પણ નવા કૅરૅક્ટરમાં જોવા મળશે. મજાની વાત એ છે કે દેવ શોમાં રીએન્ટર થઈને એક નહીં, ૭-૭ કૅરૅક્ટર કરશે અને એ સાતેસાત કૅરૅક્ટર મહત્ત્વનાં છે.
કોઈ એક ઍક્ટરે ટીવીમાં બે કૅરૅક્ટર કર્યાં હોય એવું તો અનેક વખત બન્યું હશે, પણ ૭ કૅરેક્ટર, ના, ક્યારેય નહીં અને એ દૃષ્ટિએ જોઈએ તો આ રેકૉર્ડ હવે દેવ જોષી કરવાનો છે. પૃથ્વીને બચાવવા માટે ચાવી શોધવા નીકળેલા બાલવીરને છેલ્લી ચાવી મળે એ પહેલાં જ તેનું મોત થાય છે. હવે આ છેલ્લી ચાવી રાક્ષસ-રાણીના હાથમાં છે, જેની પાસેથી એ પાછી લાવવાનું કામ દેવ જોષીના આ નવાં કૅરૅક્ટર કરશે.


Whatsapp-channel Whatsapp-channel

06 April, 2021 03:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK