ઝીટીવીના નવા શો ‘ભાગ્ય લક્ષ્મી’માં લીડ રોલ ભજવનારી ઐશ્વર્યા ખરેએ શો અને પોતાના કૅરૅક્ટર વિશે જણાવ્યું
હું અને ‘લક્ષ્મી’ બન્ને ‘ભાગ્ય’માં માનીએ છીએ
‘નાગિન’, ‘સામ દામ દંડ ભેદ’, ‘યે હૈં ચાહતેં’ અને ‘વિષકન્યા’ સહિતના ટીવી-શો કરી ચૂકેલી ઍક્ટ્રેસ ઐશ્વર્યા ખરે ઝીટીવીના અપકમિંગ શો ‘ભાગ્ય લક્ષ્મી’માં લીડ રોલ ભજવવાની છે. ઐશ્વર્યા ‘ભાગ્ય લક્ષ્મી’માં લક્ષ્મી બાજવાના રોલમાં છે, જે પોતાનાં માતા-પિતાના નિધન બાદ પંજાબના નાના શહેરમાંથી મુંબઈ જાય છે.
‘પ્રૅક્ટિકલ’ લોકો વચ્ચેની તેની રસપ્રદ જર્ની આ શોમાં જોવા મળશે.
ઐશ્વર્યા ખરે પોતાના રોલ વિશે કહે છે, ‘લક્ષ્મીનું પાત્ર મેં અત્યાર સુધી ભજવેલાં પાત્રો કરતાં એકદમ અલગ છે. મારા અને લક્ષ્મીમાં ફક્ત એક સામ્ય એ છે કે અમે કર્મ, ભાગ્યમાં માનીએ છીએ અને એટલે જ હું આ કૅરૅક્ટરથી કનેક્ટેડ છું.’