‘બાલિકા વધૂ 2’ અને એમાં નવા ઍક્ટર્સને જોવા માટે હું ખૂબ ઉત્સાહી છું. ‘બાલિકા વધૂ’ ખૂબ જ મોટો શો હતો અને એ શોમાં કામ કરવાથી હું પોતાને નસીબદાર માનું છું.’
અવિકા ગોર
અવિકા ગોરને ‘બાલિકા વધૂ 2’માં પણ કામ કરવું છે. ‘બાલિકા વધૂ 2’ દ્વારા તે ઘર-ઘરમાં જાણીતી બની હતી. આનંદીનું પાત્ર તેણે ભજવ્યું હતું, જેમાં બાળવિવાહની વાત હતી. આ શોની હવે બીજી સીઝન બની રહી છે. આ વિશે વાત કરતાં અવિકા ગોરે કહ્યું કે ‘મારી ‘બાલિકા વધૂ’ સાથેની મુસાફરી ખૂબ સારી રહી હતી. ‘બાલિકા વધૂ 2’ અને એમાં નવા ઍક્ટર્સને જોવા માટે હું ખૂબ ઉત્સાહી છું. ‘બાલિકા વધૂ’ ખૂબ જ મોટો શો હતો અને એ શોમાં કામ કરવાથી હું પોતાને નસીબદાર માનું છું.’
આ શોમાં કામ કરવા વિશે અવિકાએ કહ્યું હતું કે ‘આ શોમાં કામ કરવું મને ગમશે. ‘બાલિકા વધૂ’ મારી લાઇફમાં ખૂબ મહત્ત્વ ધરાવે છે અને જો મને તક મળી તો હું એમાં કામ કરવા માગું છું. ‘સસુરાલ સિમર કા’ની બીજી સીઝન આવી ત્યારે પણ લોકો મને પૂછી રહ્યા હતા, પરંતુ રોલીને મૃત્યુ પામતી દેખાડી હતી તો તે કેવી રીતે પાછી આવી શકે.’