Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > `અનુપમા` ની આ અભિનેત્રીનું કોરોનાને કારણે નિધન, રુપાલી ગાંગુલીએ આપી શ્રદ્ધાંજલિ

`અનુપમા` ની આ અભિનેત્રીનું કોરોનાને કારણે નિધન, રુપાલી ગાંગુલીએ આપી શ્રદ્ધાંજલિ

22 November, 2021 04:42 PM IST | mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અભિનેત્રી માધવી ગોગટે થોડા સમય પહેલા કોરોનાથી સંક્રમિત થઈ હતી.

માધવી ગોગટે( તસવીરઃ નીલુ કોહલી ઈન્સ્ટાગ્રામ)

માધવી ગોગટે( તસવીરઃ નીલુ કોહલી ઈન્સ્ટાગ્રામ)


`અનુપમા` સીરિયલના ફેન્સ માટે એક આઘાતજનક સમાચાર સામે આવ્યાં છે. સીરિયલ અનુપમામાં થોડાક સમય કામ કરી ચુકેલી અભિનેત્રી માધવી ગોગટેનું નિધન થયું છે. જે સીરિયલમાં રુપાલી ગાંગુલીની માતાનો રોલ પ્લે કરતાં હતા.  માધવી ગોગટેએ 21 નવેમ્બરે અંતિમ શ્વાસ લીધા. 

અભિનેત્રી માધવી ગોગટે થોડા સમય પહેલા કોરોનાથી સંક્રમિત થઈ હતી. જેને કારણે તેમણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જયાં તેમની સારવાર ચાલી રહી હતી. જો કે, સારવાર બાદ પણ તેમની હાલતમાં કોઈ સુધાર આવ્યો નહોતો અને આખરે રવિવારે તેમને હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા. માધવી ગોગટેના નિધનથી ટેલિવિઝનની દુનિયમાં શોકનો માહોલ છે. 



અનુપમા સીરિયલની અભિનેત્રી અને તેની કો-સ્ટાર રૂપાલી ગાંગુલી આ સમાચારથી ખૂબ જ ચોંકી ગઈ છે. રૂપાલીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં અભિનેત્રીએ લખ્યું હતું કે, `ઘણી બધી વાતો રહી ગઈ, સદગતિ માધવી જી. માધવીની ઉંમર 58 વર્ષની હતી. તેની મિત્ર નીલુ કોહલીએ પણ માધવી માટે ઈમોશનલ મેસેજ શેર કર્યો છે.


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nilu Kohli (@nilukohli)


માધવીની મિત્ર નીલુ કોહલીએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. તેના ઈન્સ્ટાગ્રામ પર માધવીનો ફોટો શેર કરતા તેણે લખ્યું, `માધવી ગોગટે મારી પ્રિય મિત્ર... ના, હું વિશ્વાસ કરી શકતો નથી કે તમે અમને છોડીને ગયા. દિલ તૂટી ગયું.. તમે હજી જવા માટે એટલા નાના નહોતા. યે કોવિડ... કાશ જ્યારે તમે મારા મેસેજનો જવાબ ન આપ્યો ત્યારે મેં ફોન ઉપાડ્યો હોત અને તમારી સાથે વાત કરી હોત. હવે હું માત્ર અફસોસ કરી શકું છું.`

માધવી માત્ર 58 વર્ષની હતી અને તેનું મુંબઈની સેવન હિલ્સ હોસ્પિટલમાં નિધન થયું હતું. માધવીએ ફિલ્મો અને ટીવી શોમાં ઘણું કામ કર્યું છે. તેમને અશોક સરાફ સાથેની મરાઠી ફિલ્મ ઘનચક્કરથી ખ્યાતિ મેળવી હતી. તેમના લોકપ્રિય નાટકો `ભ્રમચા ભોપાલા`, `ગેલા માધવ કુનિકડે` હતા. તેણીએ તાજેતરમાં તુજા માજા જમાતે સાથે મરાઠી ટીવીમાં પ્રવેશ કર્યો હતો. 

Whatsapp-channel Whatsapp-channel

22 November, 2021 04:42 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK