Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ‘મને જોઈને તો લોકોને મારવાનું મન થશે’

‘મને જોઈને તો લોકોને મારવાનું મન થશે’

16 April, 2021 11:52 AM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

‘લક્ષ્મી ઘર આઇ’માંની નેગેટિવ કૅરૅક્ટર અનન્યા ખરેને આમ કહેતી વખતે ખુશી થાય છે

અનન્યા ખરે

અનન્યા ખરે


સ્ટાર ભારત પર શરૂ થનારા નવા શો ‘લક્ષ્મી ઘર આઇ’માં સાસુનું કૅરૅક્ટર જાણીતી ઍક્ટ્રેસ અનન્યા ખરે કરે છે. સંજય લીલા ભણસાલીથી માંડીને રાજુ હીરાણી જેવા અનેક સ્ટાર ડિરેક્ટર સાથે કામ કરી ચૂકેલી અનન્યા કહે છે, ‘મને સ્ક્રીન પર જોઈને લોકોને એવો તો ગુસ્સો આવવાનો છે કે તેમને મારવાનું મન થઈ આવશે. મને ખાતરી છે હું લોકોને એ સ્તરે ગુસ્સો દેવડાવીશ.’અનન્યા ખરે નેગેટિવ કૅરૅક્ટર કરે છે. તે એક એવી સાસુ બની છે જે દહેજની પ્રથાને પ્રોત્સાહન આપવાની સાથોસાથ પોતાની ઇચ્છા પૂરી નથી થતી ત્યારે કેવી રીતે પરિવારમાં તિરાડ ઊભી કરવી એની જાણકારી રાખે છે. દીકરા સામે સાવ ગરીબડી બનવાની પણ તેની ક્ષમતા છે અને પુત્રવધૂને ખોબે-ખોબે રડાવવાની પણ તેનામાં ત્રેવડ છે.


Whatsapp-channel Whatsapp-channel

16 April, 2021 11:52 AM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK