‘લક્ષ્મી ઘર આઇ’માંની નેગેટિવ કૅરૅક્ટર અનન્યા ખરેને આમ કહેતી વખતે ખુશી થાય છે
અનન્યા ખરે
સ્ટાર ભારત પર શરૂ થનારા નવા શો ‘લક્ષ્મી ઘર આઇ’માં સાસુનું કૅરૅક્ટર જાણીતી ઍક્ટ્રેસ અનન્યા ખરે કરે છે. સંજય લીલા ભણસાલીથી માંડીને રાજુ હીરાણી જેવા અનેક સ્ટાર ડિરેક્ટર સાથે કામ કરી ચૂકેલી અનન્યા કહે છે, ‘મને સ્ક્રીન પર જોઈને લોકોને એવો તો ગુસ્સો આવવાનો છે કે તેમને મારવાનું મન થઈ આવશે. મને ખાતરી છે હું લોકોને એ સ્તરે ગુસ્સો દેવડાવીશ.’અનન્યા ખરે નેગેટિવ કૅરૅક્ટર કરે છે. તે એક એવી સાસુ બની છે જે દહેજની પ્રથાને પ્રોત્સાહન આપવાની સાથોસાથ પોતાની ઇચ્છા પૂરી નથી થતી ત્યારે કેવી રીતે પરિવારમાં તિરાડ ઊભી કરવી એની જાણકારી રાખે છે. દીકરા સામે સાવ ગરીબડી બનવાની પણ તેની ક્ષમતા છે અને પુત્રવધૂને ખોબે-ખોબે રડાવવાની પણ તેનામાં ત્રેવડ છે.