કુશલ ટંડન કહે છે, “કોણ જાણે સુશાંતના મનમાં શું ચાલતું હતું?”
કુશલ ટંડનનો નવો પ્રોજેક્ટ બેબાકી જેની પ્રોડ્યુસર એકતા કપૂર છે તેને માટે તૈયાર થઇ રહ્યો છે. અલ્ટ બાલાજી અને ઝી5એ ફેન્સને જણાવ્યું છે કે બેબાકી એટલે કે પાગલપન, એક પ્રકારની નિડરતા અને આ શોનું ટિઝર ખુબ ચર્ચામા છે. આ ટિઝર આજે જ રીલિઝ થયું છે. કોઇને પણ વિચારતા કરી મુકે તેવું તેનું ટિઝર છે. જુઓ અહીં.
ADVERTISEMENT
હિંદુસ્તાન ટાઇમ્સ સાથેના એક ઇન્ટરવ્યુમાં કુશલ ટંડને તેના મિત્ર ગુમાવવાની લાગણી વ્યક્ત કરી હતી. તેણે માત્ર સુશાંત જ નહીં પણ કુશલ પંજાબીને પણ ખોયો છે જે તેની બહુ નજીક હતો. કુશલે કહ્યું કે, “હું હજી સુશાંતના આઘાતની કળ વળે તેની રાહમાં છું. આ બહુ જ દુઃખદ અને હૈયું વલોવી નાખે તેવી વાત છે, પેટમાં જ જાણે કંઇ ખાલીપો હોય, ફાળ પડે એવી ફિલિંગ આવે છે. મને નથી ખબર કે એના મનમાં શું ચાલતું હતું અને તેના આત્માના શાંતિ મળે તે જ મારી ઇચ્છા છે. તમને ખબર જ નથી હોતી કે માણસના મનમાં શું ચાલતું હોય છે, મારે લોકોને એટલું જ કહેવું છે કે તમારી જિંદગીથી મહત્વનું કંઇ જ નથી, તમે તમારી જાતને તો પીડાથી છોડાવી દો છો પણ બીજા તમામને તમે આખી જિંદગીની પીડા આપીને જાવ છો.”
બેબાકી વેબ સિરીઝમાં કુશલ ટંડન સાથે શિવજ્યોતિ રાજપુત, કરણ જોતવાણી છે. કાઇનાત અને સુફિયાંનો જર્નાલિઝમ માટેનો પ્રેમ આ પ્રોજેક્ટ અને આ સ્ક્રિન સંબંધોનો સ્પાર્ક છે. કુશલ અને સુશાંત બહુ જુના મિત્રો હતા અને તેઓ અનેકવાર અંકિતા લોખંડે તથા અન્ય ટેલિવિઝન કલાકારો સાથે પાર્ટી કરતા.સુશાંત સિંહને એકતા કપૂરની સિરિયલ્સમાં કામ કરવાને પગલે ભારે પ્રખ્યાતી મળી હતી અને ત્યાર બાદ તેણે ફિલ્મોમાં સફળતા મેળવી હતી.