અંકિતાને ટ્રોલ કરીને આવી ડિમાન્ડ કરી રહ્યા છે સુશાંતના ફૅન્સે
અંકિતા લોખંડે
અંકિતા લોખંડેએ ‘પવિત્ર રિશ્તા’ની નવી સીઝનનું શૂટિંગ શરૂ કર્યું હોવાના સમાચારથી સુશાંત સિંહ રાજપૂતના ફૅન્સ છંછેડાઈ ગયા છે અને તેઓ આ શોને બૅન કરવાની ડિમાન્ડ કરી રહ્યા છે. આ શોની પહેલી સીઝનમાં સુશાંતે માનવનું પાત્ર ભજવ્યું હતું. તેની અને અંકિતાને કારણે આ શો ખૂબ જ ફેમસ થયો હતો. સુશાંતે એ શો છોડી દેતાં એ પાત્ર હિતેન તેજવાણી દ્વારા ભજવવામાં આવ્યું હતું. જોકે આ શોની બીજી સીઝનમાં અંકિતા ફરી અર્ચનાના પાત્રમાં જોવા મળશે જ્યારે શાહીર શેખ આ શોમાં માનવ દેશમુખનું પાત્ર ભજવશે. સુશાંતે ગયા વર્ષે સુસાઇડ કર્યું હતું. ત્યારે અંકિતા પણ તેણે કેમ સુસાઇડ કર્યું એ શોધવા માટે ખૂબ જ વલખાં મારી રહી હતી. જોકે તે લાઇફમાં આગળ વધી ગઈ છે અને તેણે ‘પવિત્ર રિશ્તા 2’નું શૂટિંગ શરૂ કર્યું છે. આથી સોશ્યલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવી રહી છે. તેમ જ સુશાંતના ફૅન્સ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તેઓ આ શોને નહીં જુએ અને એને બૅન કરવામાં આવે.