Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > હૉલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જેમ્સ કૅમરુન ‘અવતાર’ની ત્રીજી ફિલ્મ બાદ ફ્રૅન્ચાઇઝી છોડી શકે છે

જેમ્સ કૅમરુન ‘અવતાર’ની ત્રીજી ફિલ્મ બાદ ફ્રૅન્ચાઇઝી છોડી શકે છે

06 July, 2022 12:00 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હૉલીવુડ ફિલ્મમેકર જેમ્સ કૅમરુન હવે ‘અવતાર’ સિરીઝની ત્રીજી ફિલ્મ બાદ ફ્રૅન્ચાઇઝીને છોડી શકે છે.

જેમ્સ કૅમરુન

જેમ્સ કૅમરુન


હૉલીવુડ ફિલ્મમેકર જેમ્સ કૅમરુન હવે ‘અવતાર’ સિરીઝની ત્રીજી ફિલ્મ બાદ ફ્રૅન્ચાઇઝીને છોડી શકે છે. તેઓ હાલમાં ‘અવતાર : ધ વે ઑફ ધ વૉટર’ને રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યા છે અને ત્રીજી ફિલ્મ બાદ તેઓ આ સિરીઝની ફિલ્મોને ડિરેક્ટ નહીં કરે. ‘અવતાર’ની સીક્વલ ‘અવતાર : ધ વે ઑફ લાઇફ’ને સોળ ડિસેમ્બરે થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવશે. આ સિરીઝની ત્રીજી ફિલ્મને ૨૦૨૪માં રિલીઝ કરવામાં આવશે. આ વિશે વાત કરતાં જેમ્સ કૅમરુને કહ્યું હતું કે ‘મને લાગે છે કે સમયની સાથે હું આ સિરીઝને હું જે ડિરેક્ટર પર વિશ્વાસ કરી શકું એને સોંપી દઈશ. ત્રીજી ફિલ્મ બાદ કે પછી ચોથી ફિલ્મ બાદ એ મને નથી ખબર. હું આ કામ બીજાને સોંપવા માગું છું જેથી મને બીજા જેમાં ઇન્ટરેસ્ટ છે એના પર હું કામ કરી શકું. કદાચ એવું નહીં પણ કરું. કંઈ ખબર નથી. ચોથી ફિલ્મ ખૂબ જ અદ્ભુત છે. આશા રાખું છું કે એને હું બનાવી શકું, પરંતુ બધું માર્કેટ પર ડિપેન્ડ છે. ત્રીજી ફિલ્મ તો ફાઇનલ છે એથી એ આવવાની જ છે. જોકે મને આશા છે કે અમે ચોથી અને પાંચમી ફિલ્મ બનાવી શકીએ.’


Whatsapp-channel Whatsapp-channel

06 July, 2022 12:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK