Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કોરોના માટે મદદમાં આવતી દવાઓને નકલી બનાવનાર લોકો રાક્ષસ છે: ફરહાન અખ્તર

કોરોના માટે મદદમાં આવતી દવાઓને નકલી બનાવનાર લોકો રાક્ષસ છે: ફરહાન અખ્તર

04 May, 2021 11:48 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આવા જ લોકોની આકરા શબ્દોમાં ટીકા કરતાં અભિનેતાએ ટ્વીટ કર્યું હતું

ફરહાન અખ્તર

ફરહાન અખ્તર


ફરહાન અખ્તરે કોરોના માટે મદદમાં આવતી દવાઓની નકલ કરનારા લોકોની નિંદા કરી છે. કોરોનાના વધતા કેરની વચ્ચે દેશમાં ઇન્જેક્શન અને ઑક્સિજનની કાળા બજાર કરવામાં આવી રહ્યા છે. એક-એક શ્વાસ માટે પીડિતોને વલખાં મારવા પડી રહ્યાં છે. તેમની વિવશતાનો કેટલાક લાલચુ લોકો લાભ ઉઠાવે છે. આવા જ લોકોની આકરા શબ્દોમાં ટીકા કરતાં ટ્વિટર પર ફરહાન અખ્તરે ટ્વીટ કર્યું હતું કે ‘એવા ન્યુઝ જોયા હતા કે કેટલાક લોકો કોવિડના નામે નકલી દવાઓ બનાવે છે અને વેચે છે. આવા કપરા સમયમાં લોકોને ઠગનારા વિશેષ પ્રકારના રાક્ષસો છે. તમે જે પણ હો, તમને શરમ આવવી જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

04 May, 2021 11:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK