કંગના રનોટે હવે જાવેદ અખ્તરના બદનક્ષીના કેસમાં પોતે કોઈ ગુનો નથી કર્યો એવી જાહેરાત કરી છે
કંગના રનૌત
કંગના રનોટે હવે જાવેદ અખ્તરના બદનક્ષીના કેસમાં પોતે કોઈ ગુનો નથી કર્યો એવી જાહેરાત કરી છે. ૨૦૨૦માં સુશાંત સિંહ રાજપૂતના સુસાઇડ બાદ કંગનાએ એક ટીવી ઇન્ટરવ્યુ આપ્યો હતો જેમાં તેણે ઘણા લોકો વિશે કમેન્ટ કરી હતી. એમાંથી એક કમેન્ટ તેણે જાવેદ અખ્તર માટે પણ કરી હતી. આ માટે જાવેદ અખ્તરે કંગના વિરુદ્ધ અંધેરીની મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ કોર્ટમાં કેસ ફાઇલ કર્યો હતો. એ સમયે શિવસેનાની સરકાર હતી. કંગનાને વારંવાર સમન્સ મોકલવામાં આવવા છતાં તે હાજર નહોતી રહી. જોકે હવે તે કોર્ટમાં હાજર રહી હતી. કંગનાના વકીલ દ્વારા આપવામાં આવેલી ઍપ્લિકેશન બાદ કોર્ટે જર્નલિસ્ટ અને અન્ય લોકોને કોર્ટની બહાર જવા માટે કહ્યું હતું. આ કેસમાં કંગનાએ જવાબ આપ્યો હતો કે તેણે આ વિશે કોઈ ગુનો નથી કર્યો અને એથી આ કેસને ફગાવી દેવામાં આવે. જોકે હવે મહારાષ્ટ્રમાં ફરી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ગઈ છે. આ કેસનું શું થાય છે એ જોવું રહ્યું.