પગમાં શું થયું આદિત્ય નારાયણને?
પગમાં શું થયું આદિત્ય નારાયણને?
આદિત્ય નારાયણને પગના સ્નાયુમાં ઈજા પહોંચતાં તેણે ‘ઇન્ડિયન આઇડલ’ ૧૨ના સેટ પર હાજરી નહોતી આપી. એના બદલે આ વીક-એન્ડમાં કૉમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાએ શો સંભાળ્યો હતો. આ અઠવાડિયે આદિત્ય ફરીથી આ શોને હોસ્ટ કરતો જોવા મળશે. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આદિત્યએ કૅપ્શન આપી હતી કે ‘હાઇ! કમનસીબે મારા જમણા પગના સ્નાયુમાં ઈજા થતાં હું શોની બહાર હતો. મારા ફૅમિલી સમાન ફ્રેન્ડ્સ ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાનો હું આભાર માનું છું કે તેમણે ‘ઇન્ડિયન આઇડલ’નો શો સંભાળ્યો હતો. મેં તેમના બે એપિસોડ્સને દિલથી એન્જૉય કર્યા હતા. આ અઠવાડિયે હું પાછો આવીશ.’