Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > યુવાનોને કાર્તિક આર્યન પાસેથી પ્રેરણા લેવા માટે કહ્યું વિવેક અગ્નિહોત્રીએ

યુવાનોને કાર્તિક આર્યન પાસેથી પ્રેરણા લેવા માટે કહ્યું વિવેક અગ્નિહોત્રીએ

28 August, 2022 08:00 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિવેક અગ્નિહોત્રીએ યુવાનોને ખાસ સલાહ આપતાં જણાવ્યું છે કે તેમણે કાર્તિક આર્યન પાસેથી પ્રેરણા લેવી જોઈએ. કાર્તિકે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં જાતે સ્થાન જમાવ્યું છે.

વિવેક અગ્નિહોત્રી

વિવેક અગ્નિહોત્રી


વિવેક અગ્નિહોત્રીએ યુવાનોને ખાસ સલાહ આપતાં જણાવ્યું છે કે તેમણે કાર્તિક આર્યન પાસેથી પ્રેરણા લેવી જોઈએ. કાર્તિકે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં જાતે સ્થાન જમાવ્યું છે. તેની ‘ભૂલભુલૈયા 2’ લોકોને ખૂબ ગમી હતી. તે હાલમાં ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીને મળ્યો હતો. તેને જોઈને તેના ફૅન્સ અટકળો લગાવવા લાગ્યા છે કે કદાચ આ બન્ને કોઈ પ્રોજેક્ટમાં સાથે કામ કરવાના છે. કાર્તિક સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વિવેક અગ્નિહોત્રીએ કૅપ્શન આપી હતી, ‘બન્ને નાનાં શહેરોથી, મિડલ-ક્લાસ, ગ્વાલિયરથી આવેલા, જેમણે પોતાની જાતે ઇન્ડસ્ટ્રીમાં સ્થાન મેળવ્યું છે. જો તમે યંગ ઇન્ડિયન હો તો તમારે આ વિનમ્ર, મૂળથી જોડાયેલા અને અતિશય ટૅલન્ટેડ કાર્તિક આર્યન પાસેથી પ્રેરણા લેવી જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

28 August, 2022 08:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK