Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અરુણાચલ પ્રદેશમાં આગપીડિતોની મદદ માટે એક લાખ રૂપિયા ડોનેટ કર્યા વરુણ અને નતાશાએ

અરુણાચલ પ્રદેશમાં આગપીડિતોની મદદ માટે એક લાખ રૂપિયા ડોનેટ કર્યા વરુણ અને નતાશાએ

07 April, 2021 12:20 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભાગ્યે જ કોઈ એવી સેલિબ્રિટી હશે જેણે કોઈ નાની દુર્ઘટના માટે પણ દાન કર્યું હોય. કોઈ મોટી દુર્ઘટના હોય તો ઘણી સેલિબ્રિટીઝ દાન કરતી હોય છે.

વરુણ ધવન

વરુણ ધવન


વરુણ ધવન અને નતાશા દલાલે અરુણાચલ પ્રદેશમાં આગપીડિત ફેમિલીની મદદ માટે એક લાખ રૂપિયા દાન કર્યા છે. અરુણાચલ પ્રદેશના તિરાપ અને લોંગડિંગ જિલ્લામાં આગ લાગી હતી. આ આગમાં ૧૧૪ લોકોનાં ઘર બળીને ખાખ થઈ ગયાં હતાં. તેમ જ બે જણની સાથે એક પાંચ વર્ષની છોકરીનું પણ મૃત્યુ થયું હતું. આ વાતની જાણ થતાં વરુણે લઓર સુબાનસિરીના ડેપ્યુટી કમિશનર સોમ્ચા લોવાંગને પૈસા આપ્યા હતા જેથી તેઓ લોકોને મદદ કરી શકે.
વરુણે ફક્ત એક લાખ રૂપિયાનું દાન કર્યું હોવાથી તેને લોકો ટ્રોલ કરી રહ્યા છે કે કરોડો રૂપિયા કમાનાર વ્યક્તિ ફક્ત એક લાખ રૂપિયાનું દાન કરી રહ્યો છે. જોકે બીજી તરફ એ પણ છે કે ભાગ્યે જ કોઈ એવી સેલિબ્રિટી હશે જેણે કોઈ નાની દુર્ઘટના માટે પણ દાન કર્યું હોય. કોઈ મોટી દુર્ઘટના હોય તો ઘણી સેલિબ્રિટીઝ દાન કરતી હોય છે.


Whatsapp-channel Whatsapp-channel

07 April, 2021 12:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK