Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દીકરો જ્યારે જોરુ કા ગુલામ બની જાય ત્યારે પ્રૉબ્લેમ શરૂ થાય છે : નીતુ કપૂર

દીકરો જ્યારે જોરુ કા ગુલામ બની જાય ત્યારે પ્રૉબ્લેમ શરૂ થાય છે : નીતુ કપૂર

23 June, 2022 06:01 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નીતુ કપૂરનું કહેવું છે કે જ્યારે દીકરો જોરુ કા ગુલામ બની જાય ત્યારે પ્રૉબ્લેમ શરૂ થઈ જાય છે.

દીકરો જ્યારે જોરુ કા ગુલામ બની જાય ત્યારે પ્રૉબ્લેમ શરૂ થાય છે

દીકરો જ્યારે જોરુ કા ગુલામ બની જાય ત્યારે પ્રૉબ્લેમ શરૂ થાય છે


નીતુ કપૂરનું કહેવું છે કે જ્યારે દીકરો જોરુ કા ગુલામ બની જાય ત્યારે પ્રૉબ્લેમ શરૂ થઈ જાય છે. તેના દીકરા રણબીર કપૂરનાં હાલમાં જ આલિયા ભટ્ટ સાથે લગ્ન થયાં છે. પાંચ વર્ષ સુધી રિલેશનમાં રહ્યા બાદ રણબીર અને આલિયાએ લગ્ન કરી લીધાં છે. આલિયા વિશે જણાવતાં નીતુ કપૂરે કહ્યું કે ‘લોકો મને સતત પૂછે છે કે આલિયા સાથે મારા સંબંધો કેવા છે. મારા સંબંધો તેની સાથે એવા જ છે જેવા મારી સાસુ સાથે હતા. આલિયા પ્રેમાળ છે. સુંદર, સરળ છે અને તેની અંદર કોઈ કપટ નથી. એથી મારું માનવું છે કે સાસુ અને વહુના રિલેશનમાં જો ખટાશ આવે તો એમાં હસબન્ડની ભૂલ હોય છે, કારણ કે તમે તમારી મમ્મીને ખૂબ પ્રેમ કરો છો. તમે જ્યારે જોરુ કા ગુલામ બની જાઓ છો ત્યારે ખરો પ્રૉબ્લેમ શરૂ થઈ જાય છે. જો તમે તમારી મમ્મી અને વાઇફ સાથે પ્રેમમાં સમાનતા રાખો તો એ સારી બાબત છે. તો એ તમને વધુ પ્રેમ પણ આપશે. જો તમે તમારી વાઇફ પર વધુ ધ્યાન આપવા લાગો તો મમ્મીને એ વખતે ખરાબ લાગે છે. જોકે મને તો એવું નથી લાગી રહ્યું, કારણ કે મારો દીકરો ખૂબ ઇન્ટેલિજન્ટ છે. તે તેના પ્રેમમાં બૅલૅન્સ રાખે છે. તે આખો દિવસ ‘મૉમ મૉમ મૉમ’ નથી કરતો. તે મને પાંચ દિવસે એક વખત કૉલ કરે છે અને પૂછે છે કે ‘આપ ઠીક હો ના?’ મારા માટે આ જ પૂરતું છે.’


Whatsapp-channel Whatsapp-channel

23 June, 2022 06:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK