‘આ મુશ્કેલીના સમયમાં મારી પૂરી ફૅમિલી મારી સાથે ઊભી હતી. આ નિર્ણય અમારા બન્નેના હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો. હું પણ ખુશ છું. બન્ને પ્રોફેશનલી ખૂબ જ સારું કામ કરી રહ્યાં છીએ.’
સમન્થા સાથે અલગ થવાનો નિર્ણય બન્નેના હિતને ધ્યાનમાં રાખીને લીધો હતો : નાગ ચૈતન્ય
નાગ ચૈતન્યનું કહેવું છે કે સમન્થા સાથે અલગ થવાનો નિર્ણય બન્નેના હિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હતો. તેમના અલગ થવાની ચર્ચા ઘણા સમયથી ચાલતી હતી પરંતુ તેમણે જ્યારે જાહેર કર્યું કે તેઓ અલગ થઈ રહ્યાં છે ત્યારે દરેકને વિશ્વાસ થયો હતો. તેમણે બન્નેએ અલગ થવાની જાહેરાત તો કરી હતી પણ ત્યાર બાદ એ વિશે ચુપકી પણ સાધી હતી. તેમનાં લગ્નની ઍનિવર્સરીના ચાર દિવસ પહેલાં જ તેમણે ગયા વર્ષે ઑક્ટોબરમાં અલગ થવાની જાહેરાત કરી હતી. તેમના અલગ થવાનું ચોક્કસ કારણ હજી પણ તેમણે જાહેર નથી કર્યું. આ વિશે પૂછવામાં આવતાં નાગ ચૈતન્યએ કહ્યું હતું કે ‘આ મુશ્કેલીના સમયમાં મારી પૂરી ફૅમિલી મારી સાથે ઊભી હતી. આ નિર્ણય અમારા બન્નેના હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો. હું પણ ખુશ છું. બન્ને પ્રોફેશનલી ખૂબ જ સારું કામ કરી રહ્યાં છીએ.’