ભારતમાં વધી રહેલા કોરોનાના કેસને કારણે ફિલ્મને પોસ્ટપોન કરવામાં આવી છે.
થલાઇવી
કંગના રનોટની ‘થલાઇવી’ને પોસ્ટપોન કરવામાં આવી છે. ‘થલાઇવી’ તામિલનાડુનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સ્વર્ગીય જયલલિતાના જીવન પર આધારિત છે. આ ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે અને એને ૨૩ એપ્રિલે રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ફિલ્મને એકસાથે ઘણી ભાષામાં રિલીઝ કરવામાં આવવાની હતી. જોકે ભારતમાં વધી રહેલા કોરોનાના કેસને કારણે ફિલ્મને પોસ્ટપોન કરવામાં આવી છે. વધી રહેલા કેસને કારણે સરકાર દ્વારા જે નવા નિયમ અને રેગ્યુલેશન બનાવવામાં આવ્યા છે એને ફૉલો કરતાં આ ફિલ્મની રિલીઝ પણ પોસ્ટપોન કરવામાં આવી છે. એની નવી જાહેરાતની તારીખ કેસ કાબૂમાં આવતાં જાહેર કરવામાં આવશે.