અભિનેતાએ ૧૪ જુન ૨૦૨૦ના રોજ બાંદ્રા સ્થિત ફ્લેટમાં આત્મહત્યા કરી હતી
સુશાંત સિંહ રાજપૂત
૩૪ વર્ષીય બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)એ ગત વર્ષે એટલે કે ૧૪ જુન ૨૦૨૦ રવિવારના રોજ રવિવારે બાંદ્રા સ્થિત ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. અભિનેતાની આત્મહત્યાથી ફૅન્સ અને બૉલિવૂડ સેલેબ્ઝ સહુ કોઈ શૉકમાં હતા. અભિનેતાએ દુનિયામાંથી વિદાય લીધી તેને વર્ષ થઈ ગયું છે. છતા હજી પણ બધા આ બાબતને સ્વિકારી શકતા નથી. આજે પ્રથમ પુણ્યતિથીએ બૉલિવૂડ સેલેબ્ઝ સુશાંત સિંહ રાજપૂતને યાદ કરીને ભાવુક થયા છે અને સોશ્યલ મીડિયા પર પોસ્ટ શૅર કરી છે.
સુશાંત સિંહ રાજપૂતની પ્રથમ પુણ્યતિથીએ બૉલિવૂડ અને ટેલિવિઝન સેલેબ્ઝ અને મિત્રો તેને યાદ કરીને ઈમોશનલ તઈ ગયા છે. કોઈએ અભિનેતા સાથે વિતાવેલા સારા સમયને યાદ કર્યો છે તો કોઈએ તેના માટે હજી પણ ન્યાયની માગણી કરી રહ્યું છે.
ADVERTISEMENT
અભિનેતાની ફિલ્મ ‘સોનચિરૈયા’ની કૉ-સ્ટાર અભિનેત્રી ભુમિ પેડણેકરે સેટ પરની તસવીર શૅર કરી છે અને કૅપ્શનમાં લખ્યું છે કે, ‘તને યાદ કરું છું, તારા સવાલોને અને દરેક વસ્તુને યાદ કરું છું’.
View this post on Instagram
સુશાંતના ખાસ મિત્ર અને તેની છેલ્લી ફિલ્મ દિલ બેચારાના દિગ્દર્શક મુકેશ છાબરાએ તસવીરો શૅર કરીને લખ્યું છે, ‘કશું સરખું લાગતું નથી. તું જે છોડીને ગયો હતો તે હજી બાકી છે. આશા છે કે હું તને ફરી એકવાર મળીશ. મિસ યુ ભાઈ’.
View this post on Instagram
સુશાંત સિંહ રાજપૂતે ફિલ્મમેકર અભિષેક કપૂર સાથે `કાયપો` છે અને `કેદારનાથ` ફિલ્મમાં કામ કર્યું છે. તેઓ આ સમાચારથી હજી પણ સ્તબ્ધ છે.
View this post on Instagram
કૉમેડિયન શેખર સુમને અભિનેતાને યાદ કરીને ટ્વિટર પર તેની માટે ન્યાનની માગણી કરી છે.
It`s my firm belief that SSR was murdered brutally and did not commit suicide.And if that`s the case why are the culprits roaming around scot free?why justice is being delayed?why there is no closure???and many more unanswered questions.we need all d answers.
— Shekhar Suman (@shekharsuman7) June 14, 2021
Some die and go away
— Shekhar Suman (@shekharsuman7) June 14, 2021
Some die and LIVE forever!#sushantjusticematters
Remembering v v fondly Sushant Singh Rajput one amongst us yet one above us.A courageous and an extremely talented loving caring man who succumbed to the pressures and norms of the society establishment and relationships.
— Shekhar Suman (@shekharsuman7) June 14, 2021
We all miss you.❤#JusticeForSSR
અભિનેતા પુલકિત સમ્રાટે સોશ્યલ મીડિયા પર લાંબી નોટ શૅર કરી છે. જેમાં લખ્યું છે કે, ‘સુશાંત સિંહ રાજપૂત તને યાદ કરીએ છીએ’.
Sushant Singh Rajput, you are missed. ? pic.twitter.com/RH8e2EDOcY
— Pulkit Samrat (@PulkitSamrat) June 13, 2021
અભિનેતા રવિ કિશને લખ્યું છે, ‘ભાઈ મિસ યુ સો મચ...’
टीवी व थियेटर से लेकर हिंदी फिल्मों के माध्यम से लोगों का दिल जीतने वाले प्रख्यात अभिनेता सुशांत सिंह राजपूत जी की प्रथम पुण्यतिथि पर कोटिश: नमन। आप हम सब के दिलों में हमेशा जिंदा रहोगे भाई Miss you so much... pic.twitter.com/qJvKqo0G45
— Ravi Kishan (@ravikishann) June 14, 2021
બી.આર. ચોપરાની ‘મહાભારત’માં દ્રોપદીની ભૂમિકા ભજવનાર અભિનેત્રી રુપા ગાંગુલીએ લખ્યું છે, ‘તું અમારા દિલ અને પ્રાર્થનાઓમાં હંમેશા રહીશ બેટા’.
How does one cope when one knows that
— Roopa Ganguly (@RoopaSpeaks) June 13, 2021
`that` hour will strike again - the time that stood witness to the events, a year ago, that led to the passing of our dear @itsSSR
You will remain in our hearts and our prayers #Beta#SushantSinghRajput pic.twitter.com/CpkDh01o7n
ટીવી અભિનેતા અર્જુન બિજલાનીએ સુશાંત સિંહ રાજપૂત સાથેની સેલ્ફી શૅર કરીને લખ્યું છે, ‘મારા મિત્ર તું કરોડો લોકોના દિલમાં જીવંત રહીશ. તું તારી હેપી પ્લેસમાં હેપી હોઈશ એ વાતની મને ખાતરી છે’.
View this post on Instagram
બિગ બૉસ ૧૪ ફૅમ ટીવી અભિનેતા અલી ગોનીએ સુશાંતનું સ્કૅચ સ્ટોરીમાં પોસ્ટ કર્યું છે અને તેણે ઈન્સ્ટાગ્રામ અને વૉટ્સએમાં ડીપી તરીકે સ્વર્ગીય અભિનેતાની તસવીર મુકી છે.
#NewProfilePic pic.twitter.com/flRIuBefwq
— Aly Goni (@AlyGoni) June 13, 2021
સુશાંત સિંહ રાજપૂતે કાયપો છે, ‘શુદ્ધ દેશી રોમાન્સ’, ‘પીકે’, ‘ડિટેક્ટીવ વ્યોમકેશ બક્ષી’, ‘એમ.એસ. ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટૉરી’, ‘કેદારનાથ’, ‘સોનચિરૈયા’ અને ‘છીછોરે’ ફિલ્મમાં કામ કર્યું છે. અભિનેતાની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ તેના મૃત્યુ પછી રિલીઝ થઈ હતી.