નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર અજિત ડોભાલની બાયોપિક કરી રહ્યા હોવાની ચર્ચા
રજનીકાંત
રજનીકાન્ત બહુ જલદી ઇન્ડિયન જેમ્સ બૉન્ડના અવતારમાં જોવા મળશે એવી ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મ પ્રાઇમ મિનિસ્ટરના નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર અજિત ડોભાલની બાયોપિક કરી રહ્યા હોવાની ચર્ચા છે. અગાઉ વિકી કૌશલની ‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’માં પણ અજિત ડોભાલ પરથી પ્રેરિત થઈને ગોવિંદ ભારદ્વાજનું પાત્ર લખવામાં આવ્યું હતું, જે પરેશ રાવલે ભજવ્યું હતું.
ADVERTISEMENT
ફૉર્મર આઇપીએસ અજિત ડોભાલે ઘણાં ઑપરેશન કર્યાં હતાં, જેમાં મિઝોરમ અને પંજાબનાં ઑપરેશન્સનો પણ સમાવેશ થાય છે. તેમણે બાલાકોટ ઍર સ્ટ્રાઇકમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ ઇન્ડિયાના પાંચમા અને હાલના નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર છે. આ પાત્રમાં રજનીકાન્તને જોવાની મજા જ કંઈ અલગ હશે. આ બાયોપિકની સ્ક્રિપ્ટ પર હાલમાં કામ ચાલી રહ્યું હોવાની ચર્ચા છે અને રજનીકાન્ત પહેલી પસંદ હોવાની સંભાવના છે.